________________
દ વાર્દ
૨૮૯ કે, રાઓલને લા વાલિયર બાબત કંઈક શંકા જવા પામી છે, અને દ ગીશ લા વાલિયેરની તપાસ રાખવા માગે છે. દ ગશ તેની પાસેથી, પોતે નજરે જોયેલી વાત સિવાય, રાજા અને લા વાલિયેર વચ્ચેના સંબંધ વિષે વિશેષ કાંઈ જાણી ન શક્યો.
૪૧
દ વાર્દ મેંશ્યોરે દ વાઈને પોતાની પાસે એ અર્થમાં આવકાર્યો, જે અર્થમાં છીછરા માણસો કંઈ પણ નવીનતાને નવીનતા ખાતર જ આવકારે છે. ઉપરાંત, પોતે આ મિત્રને વધુ આવકારે, તો લોરેઇન જેવા જૂના મિત્રોનું થોડું ઘમંડ ઓછું થાય, એવો પણ તેમનો હેતુ ખરો!
એ આવકાર-ક્રિયા વખતે દ ગીશ પણ સૌ સાથે હાજર હતો; પણ તે જાણી જોઈને બાજુએ રહ્યો હતો. જો કે, દ વાર્દ બીજાઓ સાથે વાતચીત કરતી વખતેય દ ગીશને જરા પણ નજર બહાર નીકળી જવા દીધો ન હતો.
તે જ વખતે મેડમ એ કમરામાં દાખલ થઈ. તેની બે કે ત્રણ તહેનાત-બાનુઓ તેની સાથે હતી. તેણે દ વાર્દને ઠંડો આવકાર આપ્યો. બદલામાં દ વાર્દ મેંડમને વંદન કરી, તરત પોતાનો મોરચો તેની સામે માંડી દીધો; તેણે જાહેર કર્યું કે, પોતે ડયૂક ઑફ બકિંગહામના તાજા સમાચાર આપી શકે તેમ છે.
પણ મૅડમ બહુ બહાદુર બાઈ હતી. તેણે તરત જ સ્વસ્થ થઈ જઈ, દ વાઈને પૂછયું: “મેંશ્યોર દ વાઈ, સાંભળ્યું છે કે, તમે ઘણા ઘાયલ થયા હતા, અને ઘણા રિલાયા હતા?”
હવે દાંત કચકચાવવાનો દ વાર્ધનો વારો આવ્યો. તેણે કહ્યું, “ના રે ના; સહેજ લીટી-લસરકા જેવું જ થયું હતું.” પ્રે.૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org