________________
જાસૂસોના કોલકરાર
૨૮૭ અહીં લેતો આવ્યો છું. વખત આવ્યે તે પત્રો સરના પત્તા જેવું કામ આપશે.”
શાબાશ; હવે પછી મારા હાથમાં જે કંઈ આવશે, તે પણ તમને સપતી રહીશ.”
પણ વચ્ચે કોઈ ‘વચ’ નહિ રાખવી; બધું હાથોહાથ અને મોઢામોઢ આપણે બેએ જ પતવવું.’
“ખરી વાત; પણ પેલી મૌ૦ દ ગીશના કમરાની બારી ઊઘડી; આપણે અહીંથી ઝટપટ વિદાય થઈ જઈએ.”
દ ગીશે તેને હમણાં મળેલો કાગળ વાંચવા જ બારી ઉઘાડી હતી. કેલેથી લખેલા એ કાગળમાં બ્રાજલૉને લખ્યું હતું કે,
દ વાર્દ કેલેમાં મને મળ્યો હતો. ડયૂક ઑફ બકિંગહામની સાથેની તકરારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. દ વાર્દ બહાદુર છે, પણ પ્રકૃતિએ કરીને તે બહુ હીન-હલકટ સ્વભાવનો છે. તેણે તમારે વિશે, તથા મૅડમ વિશે ઘણી ઘણી વાતો કરી. તમને કોના ઉપર પ્રેમ છે, તે વાત પણ કરી; પણ સાથે સાથે મને કોના ઉપર પ્રેમ છે, તે વિશે પણ વાત કરી.
“મારા ઉપર તો તેણે ખૂબ દયા બતાવીને કેટલાક એવા ગૂઢ ઉલ્લેખો કર્યા છે, જેથી મારા મનમાં ચિંતા જેવું પેદા થાય. તેને રાજદરબારના છેવટના સમાચારો મળ્યા છે, એમ તેણે જણાવ્યું. કદાચ મ0 દ લૉરેઇન મારફત મળ્યા હશે. તેણે એમ કહ્યું કે, રાજાજીએ પોતાનો પ્રેમ બીજી કોઈ ઉપર ઢોળવા માંડ્યો છે. એ બીજું કોણ છે, તે કદાચ તમે જાણી શકશો. તેણે મૅડમની એકાદ તહેનાત-બાનુનો નામ વિના ઉલ્લેખ કર્યો. મારી તો એ ગૂઢ ઉલ્લેખથી ઊંઘ જ ઊડી ગઈ..
“મારા સ્વભાવમાં રહેલી અમુક ઊણપોને કારણે હું તેને ઝટ ખુલાસો પૂછી ન શક્યો. દ વાર્દ પણ પૅરીસ જવા તરત ઊપડવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org