________________
દાને દ વાઈનો હિસાબ લે છે રાઓલે દ ગીશના નોકરને કહ્યું, “હું હમણાં જ તારા માલિક પાસે આવું છું;” અને ડયૂકના નોકરને તેણે કહ્યું, “એક કલાકમાં જ હું ડયૂક સાહેબ પાસે આવી પહોંચું છું.”
રાઓલ દ ગીશ પાસે ગયો ત્યારે તે દ વાર્દ અને માનિક સાથે વાતો કરતો બેઠો હતો.
દ ગીશ તરત રાઓલને પાસેના કમરામાં લઈ ગયો; તેણે તરત કહેવા માંડ્યું, “ભાઈ, ત્રણ દિવસથી હું સળગી રહ્યો છું, મારા પ્રેમની આડે એક બીજો ઘેરો પડછાયો ફરી વળ્યો છે, અને તે પડછાયો દૂર નહિ થાય, તો હું ગાંડો થઈ જઈશ.”
રાઓલ ખિન્ન થઈને એટલું જ બોલ્યો, “ભાઈ, તમારી આંખ આગળથી એ પડછાયો દૂર થાય, તે કરતાં ન થાય તેમાં જ હું તમારું વધુ હિત જોઉં છું.”
“ભાઈ, તમે મૅડમનો પ્રેમ મારા અંતરમાંથી દૂર કરવા જેમ જેમ વધુ સલાહ આપો છો, તેમ તેમ મારા અંતરમાં એ વધુ દૃઢ થતો જાય છે.”
પણ ભાઈ તમે એમ માનો છો કે, મૅડમ કદી તમારા પ્રેમનો યથોચિત જવાબ વાળશે? તમને એમ માનવાને કશું કારણ મળ્યું છે?”
“ભાઈ, તમને કેમ કરીને સમજાવું કે, એ બાબતમાં કશાં હિસાબી લેખાં માંડી ન શકાય ! અને માણસ મરતાં લગી આશા પણ છોડી શકે નહિ.”
તો તમે મૅડમના પતિની જ અદેખાઈ કરી રહ્યા છો?”
“ના, ના, મને મૅડમના પતિની અદેખાઈ નથી સતાવતી, પણ મૅડમના પ્રેમીની અદેખાઈ સતાવે છે.”
“મેડમના પ્રેમીની?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org