________________
દ ગીશ
૨૮૩ પ્રવર્તતી હોય છે. પ્રેમ એ જીવનનું કાવ્ય છે; પરંતુ હૃદયનું ખરું જીવન તો અભિમાન છે. કાઉંટ, હું રાજસિંહાસન ઉપર જન્મેલી છું; મારાં માનપ્રતિષ્ઠાનું મને ઘણું મહત્ત્વ તથા અભિમાન છે.”
તો પણ, મને એક વાર ફરીથી કહેવા દો કે, તમે મારા મિત્રની ભવિષ્યમાં એક દિવસ પત્ની બનનાર પેલી છોકરી પ્રત્યે અન્યાય આચરી રહ્યાં છો.”
“કાઉંટ, એવું માનવા જેટલા તમે ખરેખર બુબ્ધ છો?”
“તો પછી, મારે મારા મિત્રને કાલે જ ખબર આપી દેવી જોઈએ કે, લા વાલિયેર તારા પ્રત્યેની પ્રતિજ્ઞાઓ ભૂલીને બેવફા નીવડી રહી છે. નહિ, નહિ – પરંતુ, કોઈ સ્ત્રીની ગુપ્ત વાત પ્રગટ કરી દેવા જેટલા કાયર મારે ન બનવું જોઈએ. ઉપરાંત મારા મિત્રના મનની શાંતિને મારે નાબૂદ પણ શા માટે કરવી?”
તો પછી તમે તમારા કમનસીબ મિત્રને લા વાલિયેરના પ્રેમના મિથ્યા સ્વપ્નમાં જ રાચવા દેશો?”
જ્યાં સુધી લા વાલિયેરનો દોષ સાબિત ન થાય, ત્યાં સુધી મારે તેમ જ કરવું જોઈએ.”
“પણ બ્રેસલેટોના પ્રસંગ ઉપરથી જ તે સાબિત નથી થઈ જતું?”
“પણ, મૅડમ તમને જ એ બ્રેસલેટ આપી દેવામાં આવશે, એવી અપેક્ષા હતી જ ને?”
આ દલીલ સામે મૅડમથી વિશેષ ન બોલાયું. મૅડમ સમજી ગઈ કે દ ગીશ એટલો ખાનદાન માણસ છે કે, તે ‘રાજા લા વાલિયરને ચાહે છે” એમ કહી મેડમનો પ્રેમ પોતાના તરફ વાળવા પ્રયત્ન કરવાનો પ્રયત્ન કદી નહીં કરે. જો કે, તે સમજી ગઈ કે, લા વાલિયર ઉપર તેને વહેમ તો ગયો જ છે; પરંતુ પોતાનો વહેમ દૂર થાય એવું કંઈ મળી આવે તે દરમ્યાન, ખાનદાન ચારિત્રયવાળો આ માણસ તેની પીઠ પાછળ બદગોઈ કરવાનો આડો માર્ગ તો નહિ જ લે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org