________________
રાજાજીની મુલાકાત
૨૬૯ વારો આવ્યો. એક થાંભલા પાછળ દાનાં અને પૉર્જેસ ઊભા ઊભા પોતાનો વારો આવે તેની રાહ જોતા હતા.
એટલામાં દાનએ પૉસને મેં૦ ફુકે અને એરેમીસને પરા રાજદરબારી પોશાકમાં રાજા પાસે જતા બતાવ્યા, અને કહ્યું, “જઓ મ0 કે ઍરેમીસને બેલ-ઇલની કિલ્લેબંદીના શિલ્પી તરીકે રજૂ કરવા જતા હોય એમ લાગે છે.”
તો પછી મારું શું?”
“મેં તમને પહેલેથી જ કહ્યું હતું ને ભાઈ, કે તમે ભોળા ભાળા નિખાલસ દિલના માણસ છો, એટલે તમને તેમણે સેં-માંદમાં જ નાખી મૂકવા ધાર્યું લાગે છે. પણ, ગભરાશો નહિ, હું છું ને?”
કે આ દરમ્યાન રાજાજીને કહેતો હતો, “મારે આપ નામદાર પાસે એક અરજ ગુજારવાની છે. મંત્ર દળ્યું મહત્ત્વાકાંક્ષી માણસ નથી; પરંતુ પોતે રાજદરબારની કાંઈક સેવા બજાવી શકે તેમ છે એમ જાણે છે. આપ નામદારને રોમમાં એક પ્રતિનિધિ જોઈએ છે, જે ત્યાં જબરી અસર જમાવી શકે. તો હું મ0 દર્બ્સ માટે કાર્ડિનલના ટોપાની અરજ ગુજારવા આપની પરવાનગી માગું છું.”
રાજા ચોંકયો.
“હું આપ નામદાર પાસે વારંવાર કશી માગણી રજૂ કરતો નથી,” ફકેએ કહ્યું.
“પરંતુ મોં૦ ફુકે, દë ફ્રાંસમાં રહીને જ અમારી સેવા વધુ સારી રીતે બજાવી નહિ શકે? હું તેમને આબિશપ બનાવું તો?”
સરકાર, આપ તો મૅ૦ દર્બો ઉપર કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છો,” ફુકેએ ભારે રાજદ્વારી કુનેહથી જવાબ આપ્યો; “આર્ચબિશપ તો આપ નામદાર તેમને બનાવશો જ, પણ તેથી કાર્ડિનલનો ટોપો તેમને માથેથી ખસેડવો નહિ પડે–બંને બક્ષિસો એકસાથે ગોઠવાઈ રહેશે.”
રાજા ફુકેની હાજરજવાબીથી ખુશ થયો; તે હસતો હસતો બોલી ઊડ્યો, “દાનો પણ આનાથી વધુ સારો જવાબ આપી ન શકત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org