________________
દાન દ વાઈનો હિસાબ લે છે આપવાની બાબતમાં તો મારે એટલું જ કહેવાનું છે કે, થોડા જ દિવસમાં હું મારી રાજસત્તા એવી રીતે સ્થાપિત કરી દેવા માગું છું કે, જેથી તમારા જેવા ગુણવાન અને શક્તિશાળી માણસોનો હું યોગ્ય સત્કાર કરી શકું.”
નામદાર, સાચા રાજાની સત્તા તેના રાજદરબારમાં નહિ, પણ પ્રજાનાં હૃદયમાં સ્થાપિત થાય છે.” એટલું કહી ઑથોસ બહાર ચાલ્યો ગયો.
દાદ્વૈને દવાઈને હિસાબ લે છે
થોસ રાજાજીના કમરામાંથી બહાર આવતાં જ ત્યાં ઊભેલા રાઓલ ઈંતેજારીથી પૂછયું, “શું થયું, મેંશ્યોર?”
રાજાજી આપણા બંને પ્રત્યે સદ્ભાવ ધરાવે છે, તે આ લગ્નની વિગતો જાતે ગોઠવવા માગે છે, અર્થાત્ તેમને એ બધું એવું સારી રીતે કરવું છે કે, તે માટે તેમને થોડો વખત જોઈશે. પરંતુ એ મોડું થવામાં રાજાજીની ભલી લાગણીઓનો વાંક ગણવાને બદલે તારી અધીરાઈનો જ વાંક ગણજે.”
રાઓલનું મોં પડી ગયું.
“અહીં આવ્યો છું, તો મેં૦ દાનને મળતો જાઉં; મને તેમનો કમરો બતાવ જોઉં.”
“બીજા દાદર આગળ છે,” એમ કહી રાઓલ સાથે થયો.
પરંતુ તેઓ મુખ્ય દાદરના પગથારે પહોંચ્યા તેટલામાં કાઉન્ટ દ ગીશની વર્દી પહેરેલો એક નોકર સામે દોડી આવ્યો.
“શું છે?” રાઓલે પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org