________________
૧૦.
પ્રેમ-પંક સરકાર, તે માટે આપ નામદાર જેવું રાજેશરી હૃદય હોવું જોઈએ.”
“કાઉંટ, આ બાબતની તમે કશી ચિંતા ન કરશો; મારા મનમાં દ બ્રાજલૉનના ભાવી બાબત અમુક કલ્પના છે. હું એમ નથી કહેતો કે, તેને હું માદમઆઝોલ દ લા વાલિયેર સાથે પરણવા નહિ દઉં, પરંતુ તે આટલી નાની ઉંમરે પરણી જાય એમ પણ હું નથી ઇચ્છતો. વળી પેલી કંઈક માલમિલકતવાળી બને નહિ, ત્યાં સુધી એ તેને પરણે એવું પણ ન બને. અને હું વાઇકાઉંટને જે કાંઈ પદે પહોંચાડવા માગું છું, તે માટે તેણે પોતાની લાયકાત પ્રથમ પુરવાર કરી આપવી જોઈશે – અર્થાત્ કાઉંટ, બંનેને હું થોડી રાહ જોવરાવવા માગું છું.”
“છતાં સરકાર મને એક વખત —” “કાઉંટ, તમે કહ્યું હતું કે, તમે એક “વિનંતી કરવા આવ્યા છો.” “ખરી વાત, સરકાર.”
તો બદલામાં હું એક વિનંતી તમને કરું છું. આ વાત વિષે હવે આપણે કશી જ ચર્ચા ન કરવી. થોડા જ વખતમાં એક લડાઈ જાહેર થવાની છે. અને તે માટે મારી પાસે બંધન વિનાના માણસો મારે જોઈશે. કોઈ પરણેલા કે કુટુંબી માણસને તોપમારાના ઘમસાણમાં ધસી જવાનું કહેતાં મને વિચાર થાય. ઉપરાંત, બાજલૉન કશું પરાક્રમ કરી ન બતાવે, તે પહેલાં તેને કારણે એક જવાન છોકરીને – છેક જ અજાણી છોકરીને હું કંઈક જાગીર ઊભી કરી આપું, તો મારા બીજા ઉમરાવોમાં નાહક ઈર્ષ્યા અને અદેખાઈ ઊભાં થાય.”
થોસે જવાબમાં બોલ્યા વિના નમન કર્યું. “બસ તો આટલું જ કામ હતું ને?” રાજાએ પૂછયું.
“બસ સરકાર, એટલું જ હતું. હવે હું આપ નામદારની રજા માગું છું. પણ રાઓલને મારે શું કહેવું?”
તમારે પોતાને કશું કહેવાનું નથી; એટલું જ વાઇકાઉંટને કહેજો કે, કાલે સવારે તે મને દરબાર વખતે મળે. અને તમને પોતાને વિદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org