________________
૩૭
પ્લાંશેતનું બીજું ઘર
૧
પ્લાંશેતને તો પોતાને ઘેર માં૦ દ વાલાં પધાર્યા એનું જ મહત્ત્વ બહુ ભારે હતું. પૉĐસ પ્લાંશેતે કરેલા ભાવભીના સત્કારથી ખુશ થઈ ગયો અને તેના ઘરને અને દુકાનને પોતાનું માની, મેવાની પેટીઓમાંથી મોટા ખોબા ભરી વખાણ કરતો કરતો માંમાં ઓરવા લાગ્યો. તાત્કાલિક તેણે ઉપર જવાનું મોકૂફ રાખી, પ્લાંશેતની દુકાનના કોઠાર વચ્ચે જ અડ્ડો જમાવ્યો. પોતાના નાકને જે ચીજ ગમી, તે ચીજનો બૂકડો તેણે ભર્યા જ છે; અને જો જીભને પણ તે ચીજ વધુ ગમી, તો પછી એ પેટીએ અર્ધી ખાલી થયે જ છૂટકો. તેના દાંત બધા સાબૂત હતા અને ઘંટીની પેઠે જ બધું ઝપાટાબંધ ચાવી આપતા હતા. ગળાની નળીની પહોળાઈનો તો સવાલ જ ન હતો.
થોડા વખતમાં તો પ્લાંશેતના નોકરો ગભરાઈ જઈ એકબીજાને નિશાનીઓ કરી એ બધું બતાવવા લાગ્યા. તેમના મનમાં થઈ ગયું કે, દુકાનમાં આજ સાંજ સુધીમાં કશું વેચવા જેવું જ બાકી નહિ રહે!
લાંશેતની દુકાનનો મુખ્ય ગુમાસ્તો ખાસ અકળાવા લાગ્યો. કારણકે, પ્લાંશેતે તેને પોતાના મૃત્યુ બાદ પોતાની દુકાન સોંપી દેવાનો વાયદો કરી રાખેલો હતો. તે પૉસ પાસે જઈ બોલી ઊઠયો, “માંશ્યોર, આપ જરા કાળજી રાખજો; આ બધી ચીજો તો નરી આગ છે આગ !” “તો પછી ઝટપટ મને થોડું મધ આપી દે જોઉં; મધ બહુ ઠંડું ગણાય છે.” એમ કહી પૉસે પાસે પડેલી મધની દશ-શેરિયા કૂપી
..
૨૬૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org