________________
ત્રણ કોકડાં
૨૪૭
“લે ભાઈ, હવે હું જાડો થવાના સોગંદ ખાઉં છું, બસ? તથા હવે હું સ્વપ્નાં જ નહિ લાવું તથા ઍરેમીસના કાગળ સંબંધી કશી પૂછપરછ પણ નહિ કરું, બસ ? એ વિષે તારી પેઠે જ ‘માલાગા’ની સોગંદ ખાઉં છું. પણ ભાઈ, ‘માલાગા’ એ તો સૂકી દ્રાક્ષ કે ખારેકનું નામ છે. એના સોગંદ તું કયારથી ખાતો થયો? પહેલાં તો કદી ખાતો નહોતો!”
પ્લાંશેત આંખ ચીંચકારી એકદમ હસી પડયો. તે બોલ્યો, “એ હવે મારા આકરામાં આકરા સોગંદ છે. એ સોગંદ શીખવાડનાર કોણ છે કહ્યું? ”
<<
`જરૂર કહે, ભાઈ.”
“જુઓ માલિક, હું તમારી પેઠે વિચારમાં પડીને દૂબળા બનવામાં માનતો નથી. મને તો હજુ કકડીને ભૂખ લાગે છે, અને મારા હાથ-પગ હજુ મજબૂત છે. હું એમ માનું છું કે, મોજમજા કર્યા સિવાય આ પૃથ્વી ઉપર સુખી થઈ જ શકાય નહિ.
""
“વાહ, શી અદ્ભુત દલીલ છે!”
'
“પરંતુ માલિક, મોજમજા કંઈ રસ્તે રખડતી ચીજ નથી. એટલે આપણે એનો કંઈ ને કંઈ ઉપાય કરવા જોઈએ – પેરવી કરવી જોઈએ – અરે, યોજના કરવી જોઈએ.'
,,
“વાહ, મારા આયોજનકાર ! તારી મોજમજાની યોજના શી છે, કહે તો વારુ.”
“તમે જોયું છે ને કે કોઈ કોઈ વાર હું ઘર છોડીને ચાલ્યો જાઉં
છું?”
66
હા; અમુક અમુક દિવસે તું જાય છે; પણ હું એમ માનતો હતો કે તું માલની ખરીદી માટે કે ઉઘરાણી માટે બહારગામ જાય છે.” “પણ કયા દિવસોએ હું બહાર જાઉં છું, તે તમે નોંધ્યું છે?” “હા, દરેક મહિનાની પંદરમી અને ત્રીસમી તારીખે.” “અને હું કેટલા દિવસ ગેરહાજર રહું છું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org