________________
૩૫
ત્રણ કકડાં
આ બધા ઉત્સવસમારંભની ધમાલમાં દાતંનેને આપણે એક જ ભૂલી ગયા છીએ, એવું વાચકને લાગશે. પરંતુ ખરી વાત એ છે કે, ફતેબ્લો મુકામે રાજા ઉત્સવ-સમારંભ માટે આવવાનો થયો, ત્યારે દાનએ જ તેની પાસે થોડી રજા માગી લીધી હતી. રાજાએ આનાકાની કરી હતી, પણ દાનનો આગ્રહ જોઈ, છેવટે તેણે તે રજા મંજૂર કરી હતી.
ઉત્સવ-સમારંભમાંથી ગેરહાજર રહેવામાં દાર્લોનની એક યોજના હતી; પરંતુ તે યોજના યથાક્રમે જ પ્રગટ થવા દેવી અમને પણ વધુ યોગ્ય લાગે છે.
પ્લાંશેતને ઘેર આવી કામકાજ વિનાનો કંટાળેલો માણસ પડી રહે તે રીતે એ પડી રહેતો. ભલો બિચારો પ્લશેત મૂંઝાઈને વારંવાર આવીને તેને પૂછતો –
“મહાશય, આપને કંટાળો આવે છે, નહિ?” “ના રે ના, મને કંટાળો વળી શા માટે આવે?”
પરંતુ, તમે આખો દિવસ આમ જાણે ખિન્ન થઈને બેસી રહો, એ મારાથી જોયું જતું નથી.”
“કેમ ભાઈ, લા રૉશેલના ઘેરા વખતે તોપોનું નિશાન ગોઠવી આપનાર પેલો કદરૂપો આરબ હતો, તે તને યાદ છે? આમ નવરો પડે ત્યારે તે ઘણી વાર કશાં પાંદડાં ગૂંગીમાં ઘાલી સળગાવીને દમ માર્યા કરતો.
૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org