________________
પ્રેમ-પંક
“હા, હા; હું સાચી સ્ત્રી નથી જ; જે આપણું કદી થવાનું ન હોય, તેની કશી લાલસા મને ઊભી થતી નથી.” લા વાલિયરે જવાબ આપ્યો.
૨૪૪
રાજાએ એ શબ્દો સાંભળ્યા હતા. તે હવે લા વાબિયેર પાસે જઈને બોલ્યો : “ કુમારી, તમારી ભૂલ થાય છે; તમે સ્રી છો જ. અને સ્ત્રીઓને જ સુંદર આભૂષણોથી રાજી થવાનો હક છે.”
“સરકાર, આપ નામદાર મારી કશી વાતને સાચી નહિ જ માનવાના, ખરું?”
66
‘નહિ, નહિ; ઊલટું દરેક સદ્ગુણ તમારામાં છે, એ હું માનું જ છું. માટે આ બ્રેસલેટો કેવાં છે, તે વિષેનો તમારો સાચો અભિપ્રાય આપો.
""
“સરકાર, આ બ્રેસલેટો એટલાં સુંદર છે કે, કોઈ રાજરાણીના હાથમાં જ શોભે.”
“તમારો અભિપ્રાય જાણી હું રાજી થયો; અને એક રાજા હવે તમને એ બ્રેસલેટો તમારા હાથ ઉપર ધારણ કરવા વિનંતી કરે છે: એ બ્રેસલેટ તમારૂં છે.”
લા વાલિયેરે ભયથી કંપી ઊઠીને આખી કાસ્કેટ રાજાજી તરફ ધરી. રાજાએ હળવે હાથે તે તેના તરફ પાછી ધકેલી. આખા મંડળ ઉપર મૃત્યુની કારમી શાંતિ જાણે છવાઈ ગઈ.
રાણીઓ સુધી આ વાતચીતના શબ્દો સંભળાય તેમ ન હતું. તોંને શારાંતે એ દૂતકાર્ય કર્યું. તેણે રાણીઓ પાસે જઈને મોટેથી કહ્યું, ‘ભલા ભગવાન! લા વાલિયેર કેવી ભાગ્યશાળી છે! રાજાએ તેને બ્રેસલેટ બક્ષિસ આપી દીધાં!”
(6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org