________________
૨૪૨
પ્રેમ-પંક “કેમ, હું જ જીવું તો પણ એ બ્રેસલેટ તમને જ મળે ને?” “ખરી વાત,” મેડમે હસતાં હસતાં જવાબ આપ્યો.
સાંજના આઠ વાગતાંમાં તો બધાં જ રાણી-માતાના કમરામાં આવી પૂગ્યાં હતાં. રાણી એન પોતાના ભપકાબંધ પોશાકમાં સુસજજ થઈને બેઠી હતી. બસો જણનાં નામની ટિકીટો લખીને તેમને નંબર આપી દેવામાં આવ્યા હતા. અને એ નંબરોવાળા સુંદર ગોળ લખોટા એક સુંદર રેશમી થેલીમાં ભરવામાં આવ્યા હતા.
બધાં આવ્યા એટલે દરેકની ટિકિટ નંબર સાથે તેને વહેંચી દેવામાં આવી. લા વાલિયેરનું નામ ન હોવાથી તેને ટિકિટ મળી નહિ. પછી જેમને ટિકિટ આપવામાં આવી હતી, તેમનાં નામ નંબર સાથે બોલી બતાવવામાં આવ્યાં. રાજાની ટિકિટ ઉપર પહેલો નંબર હતો. બીજો નંબર રાણીમાતાનો, પછી રાણી મારિયા થેરેસાનો, પછી મેંશ્યોરનો, પછી મેડમનો– એ પ્રમાણે રાજા ધ્યાન દઈને બધાં નામ સાંભળી રહ્યો. મેડમની તહેનાતબાનુઓમાંથી લા વાલિયેરને ટિકિટ નહોતી મળી, તે તરત રાજાના તેમ જ સૌ કોઈના લક્ષમાં આવ્યું.
મેડમે રાણીમાતાને મશ્કરીના સૂરે કહ્યું, “લા વાલિયેરનું નામ રાખવું હતું ને! તેને એ બ્રેસલેટ મળ્યાં હોત, તો તે વેચીને તેની દહેજનાં નાણાં ઊભાં કરી શકત! જુઓને એણે સવારે વન-ક્રીડા વખતે જે પેટીકોટ પહેર્યો હતો, તે જ અત્યારે પણ પહેર્યો છે.”
માલિકૉર્ન અને માંતાલનાં નામ પણ પડતાં મુકાયાં હતાં; સેંતેશ્નો અને તૉને શારતનાં નામ હતાં. સેતેશ્નોએ તૉને શારતને કાન પાસે માં લઈ જઈને કહ્યું, “આપણે આપણાં નસીબ જોડીએ તો કેમ? જો હું જીતું તો બ્રેસલેટ તમને આપી દઈશ, અને તમે જીતો તો તમારી સુંદર આંખો વડે મારા ઉપર એક મીઠી નજર નાખજો!”
ના, ના, તમે બ્રેસલેટ જીતો તો તમે જ રાખજે; દરેક જણ પોતપોતાને માટે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org