________________
૨૪૦.
પ્રેમ-પંક પરંતુ આ પ્રકરણ જે દિવસની હકીકત નોંધે છે, તે દિવસે મોડી રાતના મહાભોજન બાદ રાણીમાતાએ પોતાની પાસેનાં બે અનુપમ જડાઉ બ્રેસલેટો લૉટરીથી આપી દેવાનું જાહેર કર્યું હતું. એ બ્રેસલેટો એવી સુંદર કારીગરીનાં હતાં કે, તે મેળવવા કોઈ પણ ઉમરાવજાદી કે રાજરાણીને પણ મન થાય. એ બ્રેસલેટોની પ્રશંસામાં તો યુરોપના રાજદરબારોમાં કવિઓએ કેટલીય કવિતાઓ અને જોડકણાં રચ્યાં હતાં!
સવારમાં જ યુવાન રાણી થેરેસાને તેમણે મુલાકાતે બોલાવી હતી. તે આવી એટલે તેમણે સાંજે પોતે કરવા ધારેલા લૉટરી-સમારંભની વાત કરી. તે બિચારી બોલી કે, “આપ આ અનુપમ બ્રેસલેટો ફ્રાંસના રાજવંશના કબજા બહાર ચાલ્યા જાય એવું કરવા ઇચ્છો છો?”
રાણી માતાએ જવાબ આપ્યો: “મારે એ બ્રેસલેટ તને જ ભેટ આપવાં હતાં, પરંતુ એ તને ભેટ આપી દઉં, તો પછી મૅડમ રિસાય અને મારાથી દૂર ભાગે. મારે તો મૅડમ અહીં મારી પાસે રહ્યા કરે એવું કરવું છે, જેથી તેના ઉપર મારી (અને તારી પણ!) નજર રહે અને રાજાજી તેનાં નખરાંમાં નાહક ન જાય! લૉટરીથી એ બ્રેસલેટ તને મળે, તો તેમાં તેને કંઈ વાંધો કાઢવા જેવું ન રહે, ખરું ને?”
મારિયા થેરેસા રાજમાતાની યુક્તિ સમજીને રાજી થતી થતી ચાલી ગઈ.
પછી મેડમ તેમને મળવા આવી. તેણે તો સીધું જ કહ્યું, “એ બ્રેસલેટ કાંતો આપના હાથ ઉપર રહેવાં જોઈએ કે પછી મારા હાથ ઉપર. બીજા કોઈના હાથ ઉપર તે રહે તો છાજે જ નહિ.”
પણ મેં એ બ્રેસલેટ તમારા હાથમાં આવે તે માટે જ આ યુક્તિ કરી છે તો!”
લૉટરી તો આંધળી વસ્તુ છે; એમાં આપણું ધાર્યું પરિણામ શી રીતે લાવી શકાય?”
જુઓ, મને સ્વપ્ન આવ્યું છે કે, એ લૉટરીમાં રાજાજીનો જ નંબર લાગવાનો છે; અને મારાં સ્વપ્ન જેવી ખોટાં પડતાં નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org