________________
કર
નવા જનરલ રાજા અને લા વાલિયેર પોતાના પ્રેમના રસાયણમાં ભૂતકાળની બધી કડવાશ, વર્તમાનનો બધો આનંદ અને ભવિષ્યની બધી આશાઓ ઓગાળીને એકરૂપ કરી રહ્યાં હતાં, તે દરમ્યાન એમીસ અને ફુકે, રાજા જે વસ્તુઓ ભૂલતો હતો, તે અંગે જ વિચાર કરી રહ્યા હતા.
તો હવે, મોંશ્યોર દબ્લે, તમે મને આપણા બેલ-ઇલ પ્રકરણનું કેમનું ગોઠવાયું તેની વાત કરો.”
બધું યોજના મુજબ જ ગોઠવાતું જાય છે. રાજા એ નિર્જન નીરસ ટાપુમાં જે લશ્કરી ટુકડીઓ મોકલે છે, તેઓ તરત કંટાળવા માંડે છે. પછી આપણે યોગ્ય વખતે આપણે પૈસે તેમને બધી સુખસગવડ, તથા આનંદપ્રમોદનાં સાધનો પૂરાં પાડવા માંડીએ છીએ, એટલે તેઓ “મ૦ ફુકે ઝીંદાબાદ!’ ના જ પોકારો કરવા લાગે છે – “રાજજી ઝીંદાબાદ!' તો કદી તેમને મોંએ નીકળતું જ નથી!”
અર્થાત્ ત્યાં મોકલેલી ટુકડીઓ ઉપર આપણે ભરોસો રાખી શકીએ, ખરું ને? અને રાજાજી એ લશ્કરી ટુકડીઓ ત્રણ ત્રણ વરસે બદલ્યા કરે, તો થોડાં વર્ષોમાં તો રાજાજીના લશ્કરનાં જ પચાસ હજાર માણસ આપણા વળનાં બની ગયાં હોય, ખરું ને? શ્યોર દબ્લે, તમારી યોજનાશક્તિ અને અગમચેતીનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં. પરંતુ આપણા મિત્ર દુ વાલની શી હાલત છે?”
પૉસના ખાનપાનની, સારસંભાળની, તથા માલિશ વગેરેની બરાબર વ્યવસ્થા કરેલી છે. તે સેંટ માંદેમાં તમારા મકાનમાં જ છે. હવે
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org