________________
૨૨૦
પ્રેમ-ાંક
કમરે હાથ વીંટાળીને તેને ઊંચકી લીધી. પરંતુ તેનું માથું તેની છાતી ઉપર એવા વજનથી ઢળી પડયું હતું કે, રાજાને એમ જ લાગ્યું કે તેનું પ્રાણ-પંખેરુ ઊડી ગયું છે.
રાજાએ ડરના માર્યા એકદમ સેતેગ્નોને બૂમ પાડી. બંનેએ મળી તેને પાસેની પથારીમાં હળવેથી પોઢાડી દીધી અને પાસે પડેલી શીશીઓમાંથી સુગંધી જળો ખોબા ભરી ભરી તેના મેમાં ઉપર છાંટયાં.
સેતેગ્નો હવે વાલિયેરને વિનંતી કરતો કહેવા લાગ્યો, “સાંસતાં થાઓ, હવે આંખ ઉઘાડો; રાજાજી તમારી વાતને સાચી માને છે, અને હવે જુઓ તે જ પોતે ગાભરા થઈ ગયા છે.’
પણ લા વાલિયેર સાંભળતી ન હતી.
રાજા હવે ઘૂંટણિયે પડી, તેના હાથના પંજા ઉપર ચુંબન ઉપર ચુંબન કરવા લાગ્યો. તેને ખાતરી થઈ ગઈ હતી કે અતિશય વેદનાથી તેનું નાજુક હૃદય ફાટી ગયું છે.
કેટલીય વારૅ કોણ જાણે ધીમે ધીમે લા વાલિયેરનો જીવ તેના ખોળિયામાં પાછો આવ્યો. તેના હોઠ ઉપર હજુ એ જ શબ્દો હતા, “સરકાર, મને માફ કરો, માફ કરો!”
રાજા કંઈ બોલી શકયો નહિ; સેતેગ્નો હવે વખત જોઈ પાછો પડદા પાછળ ખસી ગયો.
રાજા પ્રેમ-ભરી કરુણા-ભરી નજરે પેલી સામું જોઈ રહ્યો.
6"
‘સરકાર, આપની કૃપાદૃષ્ટિ ઉપરથી લાગે છે કે, હવે આપે મને ક્ષમા આપી છે; હવે મને મઠમાં સાધ્વી તરીકે મોકલી આપવાનો હુકમ બક્ષો. આખી જિંદગી હું આપની ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરતી મઠમાં વિતાવીશ. આપની સમક્ષ બેઅદબી કરીને પણ મારા હૃદયનો પ્રેમ નિવેદિત કરવાની તક મળી, એને હું મારા જીવનની પરમ ખુશનસીબી માનીશ. હવે હું મારું માં આપને બતાવી ગુસ્સે નહિ કરું.
""
<<
ના, ના, હવે તો તું ભગવાનને ધન્યવાદ આપતી તથા લૂઈને ચાહતી અહીં જ રહેશે. તું પણ સાંભળી લે કે, લૂઈ તને જ ચાહે છે – તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org