________________
૨૧૪
પ્રેમ-પક સરકાર મને ખબર નથી; ફરજ ઉપર ઊભેલા એક અફસરે મને આપી.”
રાજા એ ચિઠ્ઠી વાંચતાં જ એકદમ કંપી તથા ચીસ પાડી ઊઠયો.
સેતેશ્નો તરત રાજાજી તરફ દોડ્યો. તેણે પેલા હજૂરિયાને બહાર ચાલ્યા જવા નિશાની કરી, અને પછી બારણું બંધ થતાં રાજાજીને પૂછ્યું –
નામદાર, આપ અસ્વસ્થ છો?” ના, ના, પણ સેતેશ્નો તું આ વાંચ.” સેતેશ્નોએ ચિઠ્ઠી હાથમાં લઈને વાંચી –
“મારી આ ધૂણતા ક્ષમા કરશો; તથા પત્રના આરંભમાં કશાં વિધિસર સંબોધન નથી તેની સવિશેષ ક્ષમા આપશો. આ બધું હું ઘણી ઉતાવળમાં તથા કંઈક ચોરીછૂપીથી લખું છું, એટલું જ મને ક્ષમા અપાવવા જણાવવું બસ થશે. હું મારા કમરામાં દુ:ખશોકથી તરફડતી પાછી ફરી છું. આપ નામદારને મારી એટલી જ નમ્ર અરજ છે કે, સાચી વાત નિવેદિત કરવા મને ઝટપટ મુલાકાત બક્ષવામાં આવે. મારું હૃદય ફાટી પડે છે.”
- લુઇઝા દ લા વાલિયર” સંતેગ્નોએ ચિઠ્ઠી પૂરી કરી રાજાજી તરફ પ્રશ્નાર્થ દૃષ્ટિ કરીને જોયું.
રાજાએ તેને જલદી જલદી ઝલ્મો ઓઢી લેવા જણાવ્યું. અને પૂછયું, “આ લોકોના કમરામાં છાનામાના જઈ પહોંચાય તેવો કોઈ ઉપાય તને સૂઝે છે?”
“ના સરકાર; મેડમ હમણાં હમણાં પોતાની તહેનાત-બાનુઓ ઉપર કડક જાપતો રાખે છે, એવું સાંભળ્યું છે.”
પણ તે તરફના કોઈ હજૂરિયાને તું ઓળખે છે કે નહિ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org