________________
રાજવી માનસ
૨૧૩
સરકાર, આપ નાહક એ વાતને આટલી બધી મન ઉપર ન લાવશો; સ્ત્રીઓ તો પુરુષજાતના કમનસીબ માટે જ આવી હૃદયહીન, પ્રેમહીન, અક્કલહીન સરજાઈ છે. તેમની પાસેથી કશા સારાની આશા રાખવી, એ જ અશક્યની ઇચ્છા રાખવા સમી વિડંબના માત્ર છે.”
સેતેશ્નો, હું ગુસ્સે નથી થયો; પણ બે ટચૂકડી છોકરીઓ આપણી આમ મજાક કરી ગઈ, એ વાતનું મને વધારે પડતું લાગી આવ્યું છે. આપણે બંને કશો વધુ વિચાર કર્યા વિના આપણા આંધળા હૃદયના દોરવાયા દોરવાઈ ગયા એ કેવું?”
સરકાર, એ હૃદયને ધમણની પેઠે દમ ભર્યા કરવાનું જ કામ સોંપવું જોઈએ, અને એને આપણી લાગણીઓ કે ભાવનાઓનો ભાર સંભાળવાનું તજાવી દેવું જોઈએ. છતાં મારી પોતાની વાત કહું તો, આપ નામદારને પેલી છોકરી ઉપર “એકદમ વળી ગયેલા – ”
“હું વળી ગયો? હશે, પણ મારે એ છોકરીનો વાંક ન કાઢવો જોઈએ; કારણકે મને પોતાને તો પહેલેથી ખબર હતી જ કે તેનું હૃદય બીજા કોઈને અર્પિત થઈ ગયેલું હતું.”
હા જી; વાઇકાઉંટ દ બ્રાજલૉન માટે તેની માગણી જ આપ નામદાર પાસે કરવામાં આવી હતી.”
“અને હવે, એ બે જણ અરસપરસ આટલાં બધાં ચાહે છે, તો ઇંગ્લેંડથી વાઈકાઉંટ પાછો આવે એટલે તરત એ છોકરીને તેની સાથે પરણાવી જ દઈશું. મેં નાહક તે વખતે એ લગ્ન મુલતવી રખાવીને ઉપાધિ વહોરી! પણ હવે આપણે બંનેએ આ વાત મન ઉપરથી છેક કાઢી જ નાખવી, અને ”
તે જ ઘડીએ બહારથી હજૂરિયો એક ચિઠ્ઠી લઈને રાજાજીને આપવા માટે અંદર આવવા પરવાનગી માગવા લાગ્યો.
રાજાજીએ તેને અંદર આવવા દઈ એ ચિઠ્ઠી હાથમાં લઈને પૂછયું, “કોની છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org