________________
વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું – ૨૧૫ “હું એક સદગૃહસ્થને ઓળખું છું, જે ત્યાંની એક તહેનાતબાનુ સાથે સારા મેળમાં છે.”
તૉને શારૉત સાથે ?” * “ના સરકાર, તાલ સાથે.” “તેનું નામ?” “માલિકૉર્ન.” “તે આપણને અંદર ઘુસાડી શકશે, એવી તને ખાતરી છે?”
“તે અંદર જવાની કાંઈ ને કોઈ વ્યવસ્થા જરૂર કરશે જ; તે બહુ ચકોર માણસ છે; અને એક વખત મેં તેના ઉપર આભાર ચડાવેલો છે, એટલે તેનો બદલો વાળવા તે જરૂર પ્રયત્ન કરશે.”
૩૧
વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું–
સેંતેગ્નોએ દાદર આગળ જ એક નોકરને બોલાવી માલિકૉર્નને બોલાવી મંગાવ્યો. માલિકૉર્ન મોંશ્યોરની નોકરીએ ચડી ગયો હતો અને તેમની સાથે જ અત્યારે વાતચીત કરતો હતો. તે આવ્યો એટલે ઝભા વડે ઢંકાયેલા રાજાજી બાજુએ ફરી ગયા, જેથી માલિકૉર્ન તેમને ઓળખી ન શકે.
તેગ્નોએ માલિકૉર્નને તહેનાત-બાનુઓના કમરામાં જવાની ગોઠવણ કરવાનું કહેતાં જ માલિકૉર્ન બોલી ઊઠયો, “અશકય; તમારો હેતુ શો છે, એ જાણ્યા વિના મારાથી એ ગંભીર જોખમ ઉઠાવી જ શી રીતે શકાય?”
“જુઓ, મોંશ્યોર માલિકૉર્ન, મારાથી એ હેતુ પ્રગટ કરી શકાય તેમ નથી, પરંતુ મિત્ર તરીકે મારામાં વિશ્વાસ રાખો કે તમને તથા કોઈને નુકસાન કે જોખમમાં આવી પડવું પડે એવો હેતુ હરગિજ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org