________________
૨૧૧
રાજવી માનસ “ના, ના, મૅડમ, તમારી જળદેવીએ તો ઊલટો મને ઘણી ખુશ કર્યો છે. કારણ કે તેણે સાચી જ વાત કહી હતી, અને તેના ત્રણ ત્રણ સાક્ષીઓ તમે રજૂ કરેલા છે.”
લા વાલિયેરની આંખોએ અંધારાં આવી ગયાં.
૩૦
રાજવી માનસ રાજા પોતાના કમરા તરફ ઝડપી પગલે પાછો ફર્યો. એ રીતે તે પોતાના લથડતા પગને સ્થિર રાખવા માગતો હતો.
મેડમને રાજાના જલદી જલદી ચાલ્યા જવામાં કશું અસાધારણ ન લાગ્યું. તેનું મન તો પોતે મારેલા ફટકાથી જ આનંદ-વિભોર બની ગયું હતું. તેને તો રાજાને એટલું જ બતાવવું હતું કે, તેમનો પ્રેમ પોતાના જેવી કોઈ ખાનદાન રાજવંશી ઉપર ઢોળવાથી અમુક શિષ્ટતા અને મર્યાદા આપોઆપ જળવાઈ રહે છે, ત્યારે સામાન્ય વ્યક્તિ ઉપર પ્રેમ ઢોળવા જતાં રાજા જેવો રાજા પણ સામાન્ય માનવીઓનો ટીકાપાત્ર – હાસ્યાસ્પદ બની રહે!
લૂઈની પ્રકૃતિ મેડમ બરાબર સમજતી હતી. તેના હૃદય ઉપર આવો સીધો ઘા કરવો, એ તેના સ્વમાનને તોડી ફોડી ધૂળભેગું કરવા જેવું હતું. લૂઈ કદી પોતાની એ વલે ન થવા દે. તે તરત જ પોતાના હૃદયના ભાવોને જતા કરી, પોતાની પ્રતિષ્ઠાને જાળવવા જ તત્પર થઈ જાય! એટલે મૅડમને ખાતરી હતી કે, રાજા જ હવે લુઇઝાના ઉપર પોતે પ્રેમ ઢોળ્યો હતો એ છાપ ભૂંસી નાખવા, તે છોકરીને વધારે પડતી ઉતાવળથી બને તેટલી પોતાની નજર સામેથી નાબૂદ કરવા પ્રયત્ન કરશે.
અને વસુતાએ પણ, માઝારેના દબાણમાંથી નીકળ્યા પછી, લૂઈ, પહેલી વાર, પોતે પ્રજાજનોનાં હૃદયોનો – ભાવભક્તિનો તેમ જ સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org