________________
વનદેવતા અને જળપરી
૨૦૭ પવનને તરંગિત તથા સુગંધિત કરી મૂકે છે. તેની સુંદર ભૂરી આંખોમાંથી એવું વિચિત્ર તેજ નીકળ્યા કરે છે કે જે અમાનુષી જ લાગે. જ્યારે તે ભવાં ચડાવે અથવા પોતાની નજર જમીન ઉપર ઢાળી દે, ત્યારે સૂર્ય પોતે શોકનો કાળો ઓછાડ ઓઢી લે છે. તેથી ઊલટું, તે જ્યારે હસે છે, ત્યારે સમસ્ત પ્રકૃતિ ખીલી ઊઠે છે, આનંદી ઊઠે છે, અને આગલી ક્ષણે ચૂપ થઈ ગયેલાં પંખી પણ કલરવ કરતાં મંજુલ કંઠે ગાવા માંડે છે. ગાલાતેઆ તો સમગ્ર સૃષ્ટિની પ્રશંસાને – નહિ, નહિ, પૂજાને પાત્ર છે; અને તે તેનો પ્રથમ પ્રેમ જે માનવ ઉપર ઢોળશે, તે માણસ ખરેખર ધન્ય થઈ જશે.”
મૅડમે ઠાવકે મોંએ રાજાજીને પૂછયું, “આપ નામદારને આ ત્રણ ગોપ-કન્યાઓ બાબત શો અભિપ્રાય છે?”
“આમા રિલી ખરેખર મારે મતે સુંદર છે.”
“મને તો ફિલી બહુ ગમી,” મોંશ્યોર વચમાં બોલી ઊઠ્યા, અને આખી મંડળી ખડખડાટ હસી પડી. બિચારી મતાલે શરમની મારી લાલ લાલ થઈ ગઈ.
“ઠીક”, મેડમે હવે આગળ ચલાવ્યું; “એ ગોપ-કન્યાઓ અંદર અંદર શી વાતો કરતી હતી?”
“તેઓ એકબીજીને કહેતી હતી કે, પ્રેમનો મારગ ખરેખર કાંટાળો છે, અને ખૂબ જોખમકારક છે; પરંતુ પ્રેમ ન કરવી એ પણ હૃદયને માટે મૃત્યુની સજા બરાબર છે.”
છેવટે તેઓ શા નિર્ણય ઉપર આવી?” મૅડમે પૂછયું. “તેઓ એ નિર્ણય ઉપર આવી કે, પ્રેમ કરવી એ જરૂરી છે.”
“તો તો બહુ સારું; તેમણે પોતાનો પ્રેમ કયાં ઢોળવા વિચાર્યું હતું વારુ?”
“આમારિલી જો કે પ્રેમ કરવામાં રહેલાં જોખમો ઉપર વિશેષ ભાર મૂકતી હતી, છતાં તેણે કબૂલ કર્યું કે અમુક ગોપ-યુવાનની મૂર્તિ તેના અંતરમાં વસી ગઈ છે ખરી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org