________________
લઈઝા રાઓલને ગ્ય નથી! રાઓલ અને કાઉન્ટ દ લા ફેર (ઍથોસ) તે જ દિવસે સાંજે પૅરીસ આવી પહોંચ્યા, જે દિવસે રાણીમાતા ને જુવાન બકિંગહામને ઝટ ઇગ્લેંડ પાછા ફરવા આગ્રહ કર્યો હતો.
શાહી ભોજન બાદ પત્તાની રમત પૂરી કરી, રિવાજ મુજબ, રાજા લાઈ-૧૪ કોલબેર અને કુકે સાથે મંત્રણા કરવા પોતાના કમરામાં ચાલ્યો ગયો હતો. પેલા બંને મંત્રણાઓ પૂરી કરીને જવા નીકળ્યા, તે વખતે રાઓલ બારણા પાસે આવી હાજર થયો. રાજાએ તેને અધખૂલા બારણામાંથી જોયો કે તરત જ પૂછયું –
“મેં૦ દ બ્રાજલોન, શું કામ છે?”
“સરકાર, લુવાથી હમણાં જ આવેલા કાઉન્ટ દ લા ફેર આપની મુલાકાત તેમને બક્ષવામાં આવે, તે માટે બહુ આતુર છે.”
“વાળુના વખત સુધીમાં મને કલાક મળે તેમ છે; તો કાઉંટ દ લા ફેર હમણાં જ આવી શકશે?”
“આપ નામદારના હુકમની રાહ જોતા તે નીચે જ ઊભા છે.”
“તો તેમને એકદમ આવવા કહો,” રાજાએ કહ્યું, અને પાંચ મિનિટ બાદ થોસ રાજા લૂઈ-૧૪ની સમક્ષ આવીને ઊભો રહ્યો.
રાજાએ ઉમળકાપૂર્વક કહ્યું, “હું આશા રાખું છું, કાઉંટ, કે તમે મારી પાસે કશી માગણી કરવા આવ્યા છો.”
“નામદાર, એવા ઇરાદાથી આવ્યો છું, એ વાત હું છુપાવવા નથી માગતો.”
“તો તો બહુ સારું,” રાજા રાજી થતો બોલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org