________________
પ્રેમ-પંક છૂપી રીતે જઈ, બધી માહિતી જાણી લાવવા મોકલે છે. દાઓંનાં કુકે એરેમીસ-પૉર્થોનની બધી કામગીરીનો ભેદ એવી ચાલાકીથી તથા ઉતાવળથી ઉકેલી લાવે છે કે, ઍરેમીસને કુકે પાસે તરત તેનાથી વધુ ઉતાવળે દોડી આવીને કહેવું પડે છે કે, તમે અબઘડી જઈને એ ટાપુ રાજાને ભેટ કરી આવો; નહીં તો રાજદ્રોહના ગુનાસર માર્યા ગયા જાણો!
ઇંગ્લંડની રાજકુમારી હેત્રિયેટા ફ્રાંસ આવે છે, પણ ફિલિપ તેની વિલાસપ્રિયતાને ઝીલી શકે તેવો રંગીલો નથી. એટલે હેબ્રિયેટા ફિલિપના જુવાન મિત્ર દ ગીશ, ઈગ્લેંડના ડયૂફ ઑફ બકિંગહામ વગેરેને પોતાની આસપાસ ફેરવતી ફેરવતી છેવટે રાજા જૂઈ-૧૪ને જ પોતાની મોહિનીમાં ખેંચે છે; અને એ બે વચ્ચે એવું વિચિત્ર પ્રેમ-પ્રકરણ શરૂ થાય છે, જે આ પ્રેમ-પંક નવલકથાનું આકર્ષક વસ્તુ બને છે. આ નવલકથાની નાયિકા લુઇઝા દ લા વાલિયેર છેવટે વિચિત્ર રીતે તે પ્રેમ-પ્રકરણમાં હોમાય છે.
લુઇઝા દ લા વાલિયર _વા મુકામે રહેતા, મરહૂમ રાજા લૂઈ-૧૩ના નાના ભાઈ ગાસ્તો (તે વખતે ડયૂક દ ઓરલેઓ)ના ઘર-કારભારી સેં-રેમીની પુનર્લગ્નની પત્નીની આંગળિયાત પુત્રી છે. તે વીસ વર્ષ બાદ’ નવલકથામાં ઍયોસના પુત્ર રાઓલની બાલ-સખી તરીકે દાખલ થઈ હોય છે. તેનું મુગ્ધ મીઠું સૌંદર્ય પહેલેથી જ સૌ કોઈને આકર્ષતું હોય છે. રાઓલ તેને પરણવા ઇચ્છતો હોય છે, પણ એથોસ ભાવીના ઓળા પિછાનતો હોય તેમ, એ લગ્ન મંજૂર રાખવા ઇચ્છતો નથી.
લાઇઝા છેવટે પોતાની સખી મતાલેની ખટપટથી રાજકુમારી હેબ્રિટાની રાજસખી તરીકે નિમાઈને પૅરીસ આવે છે. રાઓલ તેને તે સમુદાયમાં જોઈ નવાઈ પામે છે, તથા તેની સાથે લગ્ન કરી, રાજદરબારની ભ્રષ્ટતામાંથી તેને ઉગારી લેવા ઇચ્છે છે. તે અર્થે પોતાના પિતા ઍથોસને છેવટના સમજાવી લેવાનો પ્રયત્ન તે કરે છે. રાઓલને એ અંગે બહુ દુ:ખી થતો જોઈ, ઍથોસ છેવટે રાજા પાસે આ લગ્નની પરવાનગી માગવા પૅરીસ આવવા કબૂલ થાય છે.
ત્યાંથી આ નવલકથા ઊઘડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org