________________
મંડાણ શ્રી મસ્કેટિયર્સ' નવલકથાના ત્રીજા ભાગમાં “કામિની’ અને ‘કાંચન’ એ બંને બાબતો અંગેનું ફ્રાંસના રાજદરબારનું કોકડું સારી પેઠે ગૂંચવાયું છે.
મહામાત્ય માઝારેના મૃત્યુ પછી રાજા લૂઈ-૧૪ કોલબેરને પોતાનો નાણાંકીય સલાહકાર બનાવી, નાણાંપ્રધાન ફુકેની સત્તા તોડવા પ્રયત્ન કરે છે. કુકેએ પોતાના મિત્રો અને સાગરીતોની ઓથે આખા ફ્રાંસ રાજ્યની મહેસૂલનાં અઢળક નાણાં ભેગાં કરી લીધેલાં છે. આપણા ચાર બરકંદાજ મિત્રોમાંનો એરેમીસ, જે કામિની અને કાંચન બંને બાબતોની ખટપટોમાં પહેલેથી હંમેશ રસ ધરાવતો આવ્યો છે, તે કકેનો મદદનીશ-સલાહકાર બને છે. તેની સલાહથી કુકે પોતાના બેલ-ઇલ--મેર ટાપુને ભારે મોટા ખર્ચે કિલ્લેબંદ કરાવે છે. પૉર્થોનની ભલમનસાઈ અને રાક્ષસી કાંડાબળને મદદમાં લઈ, એ નવી જ જાતની કિલ્લેબંદીનું કામકાજ, તદ્દન ગુપ્ત રીતે ઝપાટાબંધ ચલાવાતું હોય છે. એક વખતે એ કિલ્લેબંદી પૂરી થઈ જાય. અને તેના ઉપર તોપો ચડી જાય, પછી તેનો માલિક ગમે ત્યારે રાજા લૂઈને ડારી શકે કે તેની આગળ મન-ફાવતી શરતો રજૂ કરી શકે.
દરમ્યાન, ઈગ્લેંડનો રાજા ચા-૨ ફ્રાંસના રાજા ઈ-૧૪ના નાના ભાઈ ફિલિપ સાથે પોતાની બહેન હેબ્રિયેટાનું લગ્ન ગોઠવી, એથોસ સાથે તે બાબતનું કહેણ મોકલે છે. તે કહેણ સ્વીકારાય છે, અને રાજકુમારી હેબ્રિયેટા ઈગ્લેંડથી પોતાના જુવાન દરબારી મિત્રો સાથે ફ્રાંસ આવવા નીકળે છે.
એ અનુસંધાનમાં ચાર્લ્સ-૨ રાજા ઈ-૧૪ને પુછાવે છે કે, આપણે બે ભાઈઓ કદી કોઈ કારણે લડવાના છીએ નહિ, તો પછી તમે શા માટે બેલ-ઇલ-ઓ-મેરને મારી સામે આટલા મોટે ખર્ચો કિલ્લેબંદ કરાવો છો? રાજા લૂઈ-૧૪ આ સમાચારથી ચોંકે છે, અને દાનેને એ ટાપુ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org