________________
વનદેવતા અને જળપરી
૨૦૩ મૅડમે તરત જ રાજાજીને પૂછયું, “આપ નામદારના રાજ્યમાં જલ-સ્થલમાં રહેનાર સૌ આપનાં પ્રજાજન કહેવાય. એટલે એ જળપરીએ પેલા કવિને કહેલી વાતો આપને તો જાણમાં આવી જ ગઈ હશે. તો આપ જ તેમાંથી થોડી વાનગી અમને સંભળાવોને.”
રાજાજીએ હસતાં હસતાં કહ્યું, “જુઓ મૅડમ, હું તેમાંની બધી વાતો કહું, તો તેમાંની કેટલીક વિગતો સાંભળતાં તમને જરા મૂંઝવણ થશે, તેના કરતાં મારા આ મિત્ર અને સોબતી સેંતેશ્નોને તમે કહેશો તો તે બરાબર બધું વર્ણવીને કહેશે. તેમને વાત કહેતાં સારી આવડે છે, અને યાદ ન રહ્યું હોય તો તે ઉપજાવી કાઢીને કહેતાં પણ સારું આવડે છે. એ બાબતમાં તો તેમને એક કવિ જ કહેવા જોઈએ!”
સેતેશ્નો તરત બોલી ઊઠ્યો, “આપને પેલી જલપરીએ કવિને કહેલાં પદો યાદ ન રહ્યાં, તો મને તો શી રીતે યાદ રહે? ઉપરાંત, પાણીમાં બની બનીને શું બની શકે? તેના કરતાં સ્થળ ઉપર જ કેવી કેવી રસભરી વાતો બનતી હોય છે!”
“તો સ્થળ ઉપર બનતી રસભરી વાતો કહો!” મેડમે તરત ફરમાવ્યું.
એ પ્રશ્ન તો વનદેવતાને પૂછવા યોગ્ય છે. અને વનદેવતાની ભાષા સમજનારને તો એવાં એવાં રહસ્યો સાંભળવા મળે છે, જે સાંભળવા તો દેવલોકો પણ ઇચ્છા કરે.”
વાહ, કાઉટ, તમને તો વાતમાં મણ ઘાલતાં બહુ સારું આવડે છે ને! ચાને વનદેવતાઓ પાસે આજકાલ બહુ રસિક વાત કહેવાની ભેગી થઈ છે એ જાણ તમને થઈ, તેનો અર્થ એ કે, તેમને પોતાને એ લોકોની દોસ્તી હોવી જોઈએ અને તેમની ભાષા પણ તમે સમજી શકતા હોવા જોઈએ.”
હા મેડમ એ બાબત હું નમ્રપણે છતાં પૂરતા અભિમાન સાથે સ્વીકારી શકું તેમ છું.”
તો તમે વનદેવતા પાસેથી સાંભળેલી આ થોડા દિવસમાં જ બનેલી કોઈ રસિક વાર્તા અને આજે સંભળાવોને!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org