________________
ખુશખુશાલ
૧૯૧ “અરે, બોલી નાખો, મહેરબાન; મારા ભેજાની ફળદ્રુપતા આ મેં ખીસામાંથી કાઢી.”
“તો મારે એક ઘેર પહોંચવું છે, જ્યાં મારે કંઈક કામ છે.”
તો ઠીક, તે ઘર નજીક પહોંચી જાઓ, એટલે બસ!”
“પણ એ ઘરમાં અદેખો પતિ રહે છે, જે મને પાસે ટકવા દે તેવો નથી, તેનું શું?
“અદેખો પતિ એ કૂતરાનો અવતાર કહેવાય; ચાને કૂતરાને શાંત પાડવા મીઠાઈનું ઢેફ નાખવું જોઈએ.”
“જા, જા; એ સલાહ તો કોઈ પણ ગમાર આપી શકે; તું કશું જ સમજી શકતો જ નથી; મારો મિત્ર રાઓલ હોત તો તે સમજત.”
- “ખાસ કરીને તેને તમારે મારા કરતાં ઓછી કોયડાની ભાષામાં કહેવું પડતું કે, “મારે મૅડમ પાસે જવું છે, પણ મશ્યોરની બીક લાગે છે, કારણ કે તેમને મારી ઈર્ષ્યા આવી છે.''
દ ગીશ એકદમ ગુસ્સે થઈ ગયો; તે બોલ્યો, “ખબરદાર, શયતાન! તું ગમે તેવાં મોટાં નામોની બાબતમાં ફાવે તેમ શું બકે છે?”
હું ક્યાં કોઈનું કશું નામ દઉં છું? તમે મને અદેખા પતિની વાત કરી, ત્યારે મેં દેશનાં બે સુપ્રસિદ્ધ પ્રેમળ પતિ-પત્નીનો દાખલો આપીને એટલું કહ્યું કે, પત્ની પાસે જવું હોય, તો પતિને પહેલાં સાધવો જોઈએ.”
“એટલે?”
“એટલે એમ કે, આપણે એક યા બીજે રસ્તે મશ્યોરના ઘરમાં પેસવું જોઈએ – અલબત્ત આપણે નહિ, પણ આપણા કોઈ હોશિયાર માણસને ઘરમાં ઘુસાડી રાખ્યો હોય, તો તે બારણું પણ ઉઘાડે, તેમ જ પતિને પણ આપણા વિશે બે સારા બોલ કહી મનાવી લે! ટૂંકમાં શુદ્ધ ફ્રેંચ ભાષામાં કહીએ તો, પતિનો આપણા ઉપરનો ક્રોધ દૂર કરાવે અને પત્નીનો આપણા ઉપરનો પ્રેમ વધારાવે, એવો આપણો હોશિયાર માણસ મોંશ્યોરના ઘરમાં ઘુસાડવી જોઈએ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org