________________
૧૮૮
પ્રેમ-પંક
પછી પેલા વૈદ તરફ ફરીને એરેમીસે કહ્યું, “મોંશ્યોર પ્રિઝા, આ પ્યાલો ખાલી કરી નાખો અને ધોઈ નાખો. ગ્રાન્ડ કાઉન્સિલે તમને એમાં જે મૂકવા કહેલું તેમાંનું ઘણું વધેલું દેખાય છે.”
2િઝાર્ત એકદમ ચક્યો અને લથડિયું ખાઈ ત્રાસનો માર્યો પાછો પડ્યો. ઍરેમીસે માત્ર તેના તરફ જોઈ ખભા મચકોડ્યા; અને પછી પોતાને હાથે જ એ પ્યાલો રાખમાં ઠાલવી દીધો.
૨૭
ખાસ કામ બીજે દિવસે અથવા તે જ દિવસે (કારણ કે, આગળ વર્ણવેલી બીનાઓ સવારના ત્રણ વાગ્યે બની હતી,) નાસ્તા પછી, રાજા રાણીજીઓ સાથે પ્રાર્થનામાં ગયા, અને મોંશ્યોર પોતે શવાલિયેર દ લૉરેઈન વગેરે સાથે નદીએ સ્નાનક્રીડા માટે ચાલ્યા ગયા. મૅડમ અસ્વસ્થતાનું કારણ બતાવી, પોતાના કમરામાં જ ભરાઈ રહી હતી, તે વખત માંતાલે ગુપકીદીથી લા વાલિયરને બગીચાની બહાર એક નિર્જન જગાએ ખેંચી જવા લાગી.
મિતાલે ચોતરફ જોતી જોતી આગળ વધતી હતી. દૂર લઈ જઈ, લા વાલિયેરને તેણે સીધો સવાલ પૂછયો, “સખી, તું માંદ બ્રાજલોનને ચાહે છે કે નહિ, તે સાચેસાચું કહી દે.”
“નાનપણથી અમે ભેગાં ઊછર્યા છીએ, મિત્ર છીએ; તે લગભગ મારો મારું છે.”
“તારો ભાઈ? તારો વિવાહિત જીત નહિ?” ‘સખી, તું આટલી આકળી થઈને કેમ પૂછે છે?”
“તો શું કરું? તારી સ્થિતિ હવે હું જોઈ ગઈ છું; તું આખો દિવસ નિસાસા નાખ્યા કરે છે, અને પગના અંગૂઠા વડે જમીન ઉપર બ” અક્ષર લખવાને બદલે ‘લ’ અક્ષર લખ્યા કરે છે ! પણ મૂરખ, તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org