________________
૧૮૭
અગિયાર વર્ષથી દીક્ષિત “તેમ કરવામાં આવશે.”
“આ ત્રણ નામવાળા દીક્ષિતોને તિબેટમાં નાશ પામવા મોકલી દેવા. તેમને સજા ફરમાવી દેવામાં આવી છે, અને તેનો અમલ કરવો.”
“એ સજાનો અમલ થશે.”
“ઍન્વર્સ મુકામે રાવેલાની પૌત્રી રહે છે. તેના હાથમાં કેટલાંક કાગળિયાં એવાં છે જેથી આપણા પંથને કાયમનો ખતરો રહે છે. છેલ્લાં ૫૧ વર્ષથી તેને પચાસ હજાર લિવ દર વર્ષે ચૂકવવામાં આવે છે. પણ પંથને માથે એ ભારે બોજો કહેવાય. તે કાગળિયાં અમુક ઉચ્ચક રકમ ખરીદી લેવાં અથવા આપવા ના પાડે, તો પેલી રકમ ન આપવી પડે તેમ કરવું.”
“જે સારામાં સારું હશે, તે અવશ્ય કરવામાં આવશે.”
“લિમાથી આવતું એક વહાણ લિસ્બન બંદરે ગયે અઠવાડિયે લાંગર્યું હશે. તેમાં ચોકોલેટ ભરી લાવવામાં આવ્યાં છે. પણ દરેક ચોકોલેટની અંદર સોનાની લગડી છે. એ આખું વહાણ આપણા પંથનું છે. તેમાં કુલ એક કરોડ સિત્તેર લાખ લિની કિંમતનું સોનું છે. તેનાં કાગળિયાં આ રહ્યાં. તે માલનો કબજો તમે લઈ લેજો.”
પણ પછી તો અચાનક તેના મોંમાંથી લોહીનો જ એક કોગળો ધસી આવ્યો અને તેની આંખો, નાક વગેરે બધામાંથી લોહી વહેવા લાગ્યું. પેલાએ મરતાં મરતાં ઍરેમીસનો હાથ પોતાના હાથમાં લઈ દબાવ્યો.
ઍરેમીસે પછી તેનો હાથ છૂટો કરી તેના હૃદય ઉપર ગોઠવી દીધો અને પછી પેલા કબુલાત-વિધિ માટે આવેલા પાદરીને બોલાવીને કહ્યું, “હવે કબૂલાત-વિધિ કરાવવાની રહેતી નથી; તે સ્વર્ગવાસી થઈ ગયા છે. હવે તેમને માટે મશાનયાત્રા અને પ્રાર્થનાઓ જ બાકી રહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org