________________
૧૮૬
પ્રેમ-પંક “અને આ રહય તમે કશા સ્વાર્થ વિના નિષ્કામભાવે પંથને અર્પો છો?”
ના, ના, હું સકામભાવે, અમુક આશા-મહત્ત્વાકાંક્ષા સાથે જ આ રહસ્ય પંથને સમર્પે છેઆપ જો જીવતા રહો, તો આપે મને મારા લાયકનું પદ આપવું જોઈશે.”
“પણ હું હવે મરવાની અણી ઉપર છું, એટલે હું તમને મારા વારસદાર બનાવું છું.” આમ કહી પોતાના હાથ ઉપરની વીંટી તેણે કાઢીને ઍરેમીસની આંગળી ઉપર પહેરાવી દીધી. પછી તેણે પેલા વૈદને અને કબૂલાતવિધિવાળાને પાસે બોલાવીને કહ્યું, “તમે સાક્ષી છો કે, હું મોં દબ્લ, વનના બિશપને મારા કુલ વારસદાર ઠરાવું છું, નીમું છું, બનાવું છું.” આટલું કહી, તેણે પોતે જ પોતાનાથી નમાય તેટલું નમી એરેમીસને વંદન કર્યા. પેલા વૈદ અને પાદરીએ પણ ઘૂંટણિયે પડીને એરેમીસને વંદન કર્યા.
પછી એ બે જણને ઓરડાની બહાર કાઢી સાધુએ એરેમીસને કહ્યું, “મેં કાંઈ કામો કરવાં ધાયાં હતાં, તે બાકી રહી ગયાં, વખત થોડો છે. મારાથી તે બધાં હવે પાર નહીં પડે.”
“હું તે બધાં પાર પાડીશ.”
“ઠીક, તો સાંભળો; પોપે આપણા પંથનું નિકંદન કાઢવાનો નિરધાર કર્યો છે– પોપ મરવો જ જોઈએ.”
“પોપ મરશે જ, એરેમીસે શાંતિથી અને દૃઢતાથી જવાબ આપ્યો.
“બ્રમેનના વેપારીને સાત લાખ લિવ્ર આપવાના બાકી રહે છે. તેનું નામ ડૉસ્ટેટ છે.”
“તેને તે રકમ ચૂકતે કરવામાં આવશે.”
“આ કાગળમાં નામ લખેલા માલ્ટાના છે નાઈટોએ આપણા અગિયાર વર્ષના એક દીક્ષિત અધિકારીની ગફલતથી આપણા પંથનાં ત્રણ રહસ્યો પ્રાપ્ત કર્યા છે. તે લોકોએ તે રહસ્યનું શું કર્યું છે તે જાણી લઈ, તે રહસ્ય પાછું પ્રાપ્ત કરવું અને તેને નાબૂદ કરવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org