________________
૧૮૪
પ્રેમ-પંક
આ મરવા લાગેલા માણસનો ગણગણાટ પેલો કબૂલાત-વિધિ કરાવનારો ચોંકી ઊઠીને સાંભળ્યા કરતો હતો. વૌદ ગિઝા કંઈક સ્વસ્થતાથી મન સાથે એ બધાની નોંધ લેતો હોય એમ લાગતું હતું.
“પરંતુ મારે મારા વારસાદર શોધવાનું કામ પૂરું કરવું જ રહ્યું; અરે ગિઝાર્ત, ગ્રિષ્ટાર્ત! એક કલાક જ વધુ મારાથી જીવી શકાય, તે માટે ગમે તે કોશિશ કર!”
| પ્રિઝર્વે પાસે જઈ પેલા પ્યાલામાં વધેલો કાઢો નહિ, પણ પોતાની પાસેની એક નાની શીશીમાંથી થોડાં ટીપાં તેના મોંમાં રેડી દીધાં.
“હવે જલદી પેલા સ્કૉચને, અને બ્રેનના વેપારીને વારા ફરતી બોલાવો– ઉતાવળ કરો! હું મરવા લાગ્યો છું – અરે મારું ગળું રંધાય છે.”
પેલો કબૂલાત-વિધિ કરાવનારી બીજી કોઈ મદદ મળી શકે તો મેળવવા બહાર દોડી જતો હતો, તેવામાં બારણામાં ઊભેલા એરેમીસો તેને આંગળી ઊંચી કરી ડાર્યો અને પાછો ઓરડામાં પેસી જવા સૂચવ્યું.
એરેમીસે તરત જ સાધુની પાસે જઈ કહ્યું, “મસિન્યોર, યાદીમાં હું છઠ્ઠો છું, પરંતુ આપની સ્થિતિ ઘણી બગડતી જતી હોવાથી, મને મળ્યા પહેલાં આપને મૃત્યુ ઉપાડી ન જાય, તે માટે હું બોલાવ્યા વિના આગળ આવ્યો છું.”
“તમે એરેમીસ, શવાલિયેર દળ્યું અને વનના બિશપ છો ખરું? છેલી જ્યુબિલિ વખતે મેં તમને જોયા હોય એવું યાદ આવે છે. તો શું તમે ઉમેદવાર તરીકે રજૂ થાઓ છો?”
હા, મસિન્યોર; મેં સાંભળ્યું છે કે, આપણા પંથને કોઈ મોટું રાજદ્વારી રહસ્ય પ્રાપ્ત કરવાની જરૂર છે; અને આપે પણ તેનું રહસ્ય મેળવી આપનારને આપનો વારસદાર નીમવાનું નક્કી કર્યું છે એમ જાણી, હું એવું એક અગત્યનું રહસ્ય લઈને આપની પાસે આવ્યો છું. પણ મોંએ બોલેલો શબ્દ ગમે તેની પાસે પહોંચી જાય, એટલે હું આ કાગળમાં તે વસ્તુ લખી લાવ્યો છું, તે તમે વાંચો.” એટલું કહી, તેણે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org