________________
અગિયાર વર્ષથી દીક્ષિત
૧૮૩ જયારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે પેલો કબૂલાત-વિધિ કરનારો બારણા પાસે ઊભો હતો અને વૈદ તેમને પીઠ પાછળ ટેકો આપી અધ્ધર કરીને પોતાનો કાઢો પિવરાવતો હતો. અધે કાઢો પિવાઈ પણ ગયો હતો.
પેલા વેનિસવાળાએ આવીને વૈદ તથા પાદરીની રૂબરૂમાં જ પેલા સાધુના હુકમથી પોતે આણેલી ગુપ્ત વાત સંભળાવી; પોપે જેસ્યુઈટ પંથની વધતી જતી સત્તાથી ગભરાઈને, જેસ્યુઈટ લોકોને હાંકી કાઢવા યુરોપના જુદા જુદા રાજાઓની મદદથી યોજના કરી છે. તે પ્રમાણે અગિયાર વર્ષની દીક્ષાવાળા બે મુખ્ય સાધુઓને બીજા ૩૨ જણ સાથે અમુક અમુક જગાએ દેશનિકાલ કરવાના છે.
સાધુએ એનો આભાર માન્યો; કારણ કે, પોપનું આ કાવતરું જાણમાં આવી જવાથી પંથને બચાવી લેવાનો વેળાસર ઉપાય કરી શકાય તેવું શકય બન્યું હતું. સાધુએ બીજાઓની માફક તેને પણ પછી જવાબ મોકલવાનું તથા પાએક કલાકમાં ફતેબ્લો છોડી જવાનું ફરમાવ્યું.
પેલો ચાલ્યો જતાં સાધુ ગણગણ્યો: “આ બધા કાં તો જાસૂસો જેવા છે કે પોલીસનાં માણસો જેવા છે. તેઓમાંનો કોઈ જનરલ થઈ શકે તેવો નથી. તેઓએ બીજાનાં વાવતાં શોધી કાઢયાં છે, પણ તે ઉપયોગમાં લાવી શકે તેવું રટ્ઝ કોઈની પાસે નથી. બરબાદી, યુદ્ધ કે લશ્કરી તાકાત – એવાં સાધનોથી જિસસનું મંડળ – જેયુઈટ પંથનું કામ–આગળ નહિ ધપાવી શકાય. માત્ર નૈતિક બાબતોમાં ઉત્તમતા દાખવવાથી મળતા પ્રભાવથી એ કામ આગળ ધપશે. પરંતુ હજુ મારો વારસદાર મને મળ્યો નહિ, તે પહેલાં આ મને શું થવા બેઠું? હું તો જાણે મરી ચાલ્યો! તો શું અમારો પંથ, મારા કોઈ મજબૂત વારસદાર વિના ખખળી પડશે? મુત્યુ મારી ઉપર ધસી આવ્યું છે, તે શું મારી સાથે જ અમારા પંથને પણ લેતું જશે? મને જો દશ વર્ષ વધુ મળ્યાં હોત, તો ફ્રાંસના આ નવા રાજાથી મંડાતા નવા યુગમાં જરૂર હું અમારા પંથને શિખરની છેક ટોચ સુધી લઈ જાત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org