________________
૧૭૮
પ્રેમ-પંક હૉટેલવાળો નવાઈ પામી એ સાધુ તરફ જોઈ રહ્યો, એટલે સાધુએ પોતાના અંગૂઠા વડે પોતાની છાતી ઉપર ક્રૂસની નિશાની અમુક રીતે કરી. હૉટેલવાળાએ જવાબમાં પોતાના ડાબા ખભા ઉપર એવી જ નિશાની કરી. પછી તે બોલ્યો, “અમે આપની રાહ જોઈ રહ્યા હતા; પણ અમને એવી આશા હતી કે, આ૫ વધારે સારી તબિયતે અહીં આવી રહેશો.”
પેલા ડોળીવાળાઓ હૉટેલવાળાએ આ સાધુ તરફ બતાવેલા વિનયથી નવાઈ પામી ઊભા રહ્યા હતા. તેમને પેલા સાધુએ પોતાના ઊંડા ખીસામાંથી ત્રણ કે ચાર સોનીયા કાઢીને આપવા ધર્યા; પરંતુ સાધુની પાસે આવવા તેઓની હિંમત ન ચાલી, એટલે હૉટેલવાળાએ જ સાધુના હાથમાંથી લઈ તે સોનૈયા એ લોકોને આપી દીધા.
આવા મુફલિસ દેખાતા સાધુના ખીસામાંથી સોનૈયા નીકળતા જોઈ, પેલા ખેડૂતો વિશેષ નવાઈ પામતા વિદાય થયા, એટલે હૉટેલવાળો બારણું બંધ કરીને નમ્રપણે દૂર ઊભો રહ્યો. પણ પેલા સાધુના લમણા ભયંકર તાવથી ફાટી પડતા હતા. તેણે પોતાના કપાળ ઉપર ધીમેથી હાથ ફેરવતાં ફેરવતાં હૉટેલવાળાને પૂછ્યું –
“અહીં ફતેબ્લોમાં વૈદો કેટલા છે?” “ત્રણ, પિતાજી.” “તેમનાં નામ?”
લ્વીનીગે, કાર્મોલપંથી સાધુ હુબેર, અને ત્રીજો શ્રાવક પ્રિઝા.” “ગિઝાર્તને એકદમ બોલાવો.”
હૉટેલવાળો આજ્ઞાનો અમલ કરવા બહાર જતો હતો, તેવામાં સાધુએ ફરીથી તેને થોભાવ્યો અને પૂછ્યું, “અહીં અંતિમ કબૂલાત-વિધિ કરાવવાના અધિકારી કોણ છે?”
“ઘણા છે, પિતાજી; પરંતુ જેસ્યુઈટ-પથી પાસે માં પાસે છે, તેમને બોલાવી મંગાવું?”
“હા, તરત જ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org