________________
અગિયાર વર્ષથી દીક્ષિત
અમે વાચકને વધુ વખત ઇંતેજાર રાખવા માગતા નથી. એ ઝબ્બાવાળો મુસાફર એરેમીસ હતો; ફુકેથી છૂટો પડી તે બોપાએ હૉટેલે આવી પહોંચ્યો હતો, જ્યાં તેણે સાત-આઠ દિવસ અગાઉથી એક ઓરડી અને એક કમરો અનામત રખાવ્યાં હતાં.
માલિકૉર્ન અને માનિકોને હાંકી કાઢયા બાદ, ઑરેમીસ પેલા સાધુ પાસે જઈ પહોંચ્યો, અને તેમને પૂછયું, “આપને કમરે માફક આવશે કે ઓરડી?”
“નીચલે મજલે જે હોય તે.”
એટલે પહેલે મજલે આવેલી નાની ઓરડીમાં જે સાધુને ડોળી સાથે જ લઈ જવામાં આવ્યા. બીજા મજલે આવેલો કમરો ઑરેમીસે પોતાને માટે રાખ્યો. - સાધુને ડોળીમાંથી ઉતારી, ડોળીવાળા ખેડૂતોએ જ, પથારીના ઓશિકા પાસે મૂકેલી ખુરશીમાં જાળવીને બેસાડયા. સાધુએ તરત જ હૉટેલવાળાને બોલાવ્યો.
હૉટેલવાળો આવ્યો એટલે સાધુએ તેને કહ્યું, “આ ભલા ડોળીવાળાઓને વિદાય કરો. રસ્તામાં તાપ બહુ લાગવાથી હું બેભાન થઈ ગયો હતો ત્યારે તે બિચારાઓ મને પોતાને ઘેર લઈ જવા માગતા હતા; પણ મેં આ હૉટેલમાં મને પહોંચાડવા તેઓને વિનંતી કરી; કારણ કે, અહીં મારી રાહ જોવાતી હશે, એમ હું જાણતો હતો.”
૧૭૭ પ્રે-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org