________________
૧૬૮
પ્રેમ-પંક વાહ ભાઈ, હું તો કશું ભૂલ્યો નથી, માત્ર તમે મને હવે ભૂલ્યાં છો, એ ચોક્કસ. અહીંયાં આવી તમને મળવા માટે એક અઠવાડિયાથી હું ભટકયા કરું છું... અને તે પણ ખિસકોલી કે ઉંદર કે નોળિયાની પેઠે જમીનમાં છુપાઈને. પણ મને હવે એ અવતાર માફક આવતો હોય એમ લાગતું નથી, એટલે મારે માણસની પેઠે જમીન ઉપર ફરવુંહરવું છે. પણ સાચું કહો, તમે હું અહીં આવ્યો છું એ જાણતાં હતાં કે નહિ? અને જાણતાં હતાં તો શા માટે મારી જરા પણ સંભાળ ન લીધી? અને મેંશ્યોરના ઘર-કારભારી તરીકે મારી નોકરીનું કયાં સુધી આવ્યું, એ પણ મારે જાણવું છે.”
અરે મશ્યોરની પાસે આટલા દિવસ કોઈ કશી વાત જ કયાં ઉપાડી શકતું હતું? માત્ર ગઈ કાલથી જ તે પાછા સ્વસ્થ થતા જાય છે, અને અદેખાઈ કરવાનું તેમણે છોડી દીધું છે.”
તેમની અદેખાઈ શી રીતે દૂર થઈ?”
“બીજી બાજુ વાળી દેવામાં આવી એટલે, ગઈ કાલથી એવી અફવા ફેલાવવામાં આવી છે કે રાજાજી મેડમને બદલે બીજી કોઈના પ્રેમમાં પડ્યા છે, એટલે મેંશ્યોરની મૅડમ ઉપરની અદેખાઈ દૂર થઈ ગઈ!”
એ અફવા કોણે ફેલાવી?”
“મને લાગે છે કે, મૅડમ અને રાજા પોતે જ એવી સમજૂતી ઉપર આવ્યાં છે.”
“બરાબર, બરાબર; મોંશ્યોરની અદેખાઈ દૂર કરવાનો એ જ રસ્તો હતો. પણ હવે બિચારા મોં૦ દ ગીશનું શું થયું?”
“અરે મેડમે તેમને તો છેક જ પડતા મૂક્યા છે.” “મેડમ સાથે તમારે કેવો સંબંધ છે?”
ઘણો જ સારો.” “અને રાજાજી સાથે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org