________________
બોપાઓ હૉટેલમાંથી જાકારો “રાજાજી મારી પાસેથી જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે ત્યારે અચૂક હસે છે.”
તો મૅડમ અને રાજાજીના પ્રેમ-પ્રકરણ માટે આડ તરીકે કોના પ્રેમની વાતને ઊભી કરવામાં આવી છે?”
લા વાલિયેર પ્રત્યેના પ્રેમની.”
બિચારી બાપડી; આપણે એ અફવા રોકવી જોઈએ; કારણ કે મ૦ રાઓલ દ બ્રાજલોન છે એવાત સાંભળશે તો કાં તો લા વાલિયેરને મારી નાંખશે, અથવા પોતાની જાતને.”
“તમે સાચેસાચ એમ માનો છો?”
“અરે મંદ બાજલૉન લા વાલિયરને એટલી ઉત્કટતાથી ચાહે છે કે, લા વાલિયેર દેખાવ ખાતર પણ રાજાજીને ચાહવાનું કરશે, તો હું ? ફરીથી કહું છું કે, બ્રાજલૉન તેને મારી નાંખશે કે પોતે આત્મહત્યા
કરશે.”
“પણ રાજાજી લા વાલિયેરને બચાવી લેશે ને?”
“રાઓલ તો રાજાને પણ એક સામાન્ય ડાકુને મારી નાંખે તેમ મારી નાંખશે!”
“ભલા ભગવાન ! મૉ૦ માલિકૉર્ન, તમે ગાંડાબાંડા થયા છો કે શું?” “જરા પણ નહિ; અને હું જ રાઓલને આ વાત કહી દઈશ.”
“ચૂપ, ચૂપ,” માંતાલે તેના કાન પાસે માં લઈ જઈને બોલી; “તમે રાઓલને કશી વાત ન કરતા; કારણ કે, આજે સાંજે– પણ કોઈ આસપાસ સાંભળતું તો નહિ હોય ને?”
“ના, ના, કોઈ નથી.”
“આજે સાંજે “રૉયલ-ઓક’ નીચે લા વાલિયેર વાતવાતમાં બોલી પડી કે, જેણે રાજાજીને એક વાર જોયા હોય, તે બીજા કોઈ પુરુષને પછીથી ચાહી શકે જ નહિ.”
“અરેરે, સ્ત્રી જાત, સાપણની જાત! તો તો મારે રાઓલને એ વાત જ કહી દેવી પડશે. હજુ મોડું નથી થયું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org