________________
૧૬૪
પ્રેમ-પંક સાથે કશી લેવાદેવા છે નહિ, છતાં! અને કંઈક અગત્યની વાત કહેવાની છે, એવું જૂઠું કારણ બતાવવાની તમારે શી જરૂર પડી, ભલા?”
અરે મતાલેજ, તમે ચાલ્યાં ન જશો; મારે સાચેસાચ ઘણી ઘણી વાતો કહેવાની છે.”
સેંતેશ્નો બંનેને હવે ઓળખી ગયો. પાસે જ એક ઝાડવા નીચે ધીમે રહીને તે છુપાઈ ગયો.
પણ આમ ચિઠ્ઠી લખીને તથા મને મેડમની તહેનાતમાં નોકરી અપાવી છે વગેરે બાબતો યાદ દેવરાવીને, આવે વખતે, આ સ્થળે, મને બોલાવવાની હોય ખરી?”
પણ મારે વાત કહેવી છે તે તો સાંભળો; આજે દિવસે બે વાગ્યે દ ગીશ ચાલ્યા ગયા. તેમને જાતા જોઈ હું તેમની પાછળ પાછળ ગયો – જે હું હંમેશ કરતો આવ્યો છું. તમે જાણો છો કે, દ ગીશની દેશનિકાલ થવા જેવી ભારે ફજેતી થઈ હોવા છતાં, તે ફરી ફેબ્લો પાછા આવ્યા છે, અને પૅરીસમાં જે બે જણે તેમને દેશનિકાલ કર્યા હતા, તેમને જ ફતેબ્લો આવીને તે મળ્યા. મેં તેમને ઘણી ના પાડી હતી, છતાં તે પોતાના પ્રેમ-પ્રકરણની બાબતમાં બહુ અડિયલ માણસ છે, એટલે તેમણે મારી એક વાત ન સાંભળી, અને તે અહીં આવવા નીકળ્યા છે. અર્થાત્ તેમને ઘોડા ઉપર બેસી ઉતાવળે આ તરફ આવતા જોઈ હું તેમની પાછળ પાછળ થોડે દૂર રહીને ચાલ્યો આવ્યો. હું માનતો હતો કે, થોડો વિચાર કર્યા પછી તે પાછા ફરશે; પણ તે તો પાછા ફર્યા જ નહિ, એટલે હું તેમને ફરી ભેગો થઈ શક્યો નહિ. શહેરમાં હું આઠ વાગ્યાનો આવ્યો છું અને દ ગીશને શોધવા પ્રયત્ન કર્યા કરું છું, પણ મને તેમની ભાળ મળતી નથી. તે સીધા સિંહની બોડમાં જ ઘૂસી જશે એવી મારી કલ્પના જ ન હોય; એટલે મેં અહીં દરબારગઢ તરફ શોધખોળ કરી ન હતી. પણ રાત વધવા લાગતાં અને મારા મિત્રનું શું થયું હશે તેની ચિંતામાં, પછી મેં દરબારગઢના કોઈ આવતા જતા નોકરને સાધ્યો અને તમને ચિઠ્ઠી પહોંચાડીને અહીં બોલાવ્યાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org