________________
રાતના બે વાગ્યે
૧૬૫ “જુઓ મ0 માનિકો, તમારે તમારા મિત્રની કશી ચિંતા કરવાની જરૂર નથી; રાજાજીએ તેમને સારી રીતે આવકાર્યા છે, મેડમે તેમને મીઠું હસીને પ્રમાણ્યા છે, અને મોંશ્યોરને પણ તેમના ઉપર હવે કશો ગુસ્સો રહ્યો નથી.’
ઠીક, ઠીક; તેથી ત્યારે તે અહીં દરબારગઢમાં જ ધામા નાંખીને પડયા છે, એમ કહોને. પણ મારે હવે તેમની પાસે જઈ પહોંચવું હોય તો શું કરવું? દરબારગઢનો દરવાજો તો આ કલાકે મારે નામે અને મારે માટે કોઈ ઉઘાડે નહિ; અને આ ડાળી ઉપર તો આખી રાત મારાથી પોપટનો અવતાર લીધા સિવાય કાઢી શકાય તેમ નથી.”
પણ તેથી કરીને હું કંઈ તમને આ ભીંત ઉપરથી અંદર દાખલ કરવાની હિંમત કરી શકે નહિ.”
“એક જણને નહિ તો બે જણને તો કરી શકશો જ,” બીજો એક અવાજ ઝાડમાંથી જ આવ્યો.
“ભલા ભગવાન, એ વળી કોણ બોલ્યું?” મૉતાલે ચીસ પાડી ઊઠી.
“માલિકૉર્ન છે, કુમારી મેંતાલે!” આટલું બોલી તરત જ માલિકૉર્ન ઝાડ ઉપર વધુ ઊંચો આવી દીવાલની ટોચની સમકક્ષ આવીને બેઠો.
“મારે આટલું જ વળી ખૂટતું હતું,” માંતાલે હતાશ થઈને બોલી ઊઠી.
માદમુઝોલ તાલે, અમે બંને તમારા મિત્રો છીએ; તમારે અમારી મુશ્કેલીના વખતમાં અમને મદદ કરવી જોઈએ; અમે આ ટાઢમાં આખી રાત ખુલ્લામાં શી રીતે વિતાવી શકીએ?” માનિક હવે જરા વધુ જોરમાં આવી બોલ્યો.
“અરે, મચ્યોર માલિકૉર્ન તો સશક્ત જુવાન છે, અને તેમને આવા શોભીતા તારાઓ નીચે રાત ગાળવામાં સહેજે મુશ્કેલી નહિ પડે; અને મારે તેમને એક બાબતની થોડી સજા પણ કરવાની છે.”
તો ભલે, તમે તેમની સાથે તમારો હિસાબ પતાવી લેજો; પણ હું તો ચાલ્યો આવું છું,” એમ કહી માનિએ કપડાં ફાટવાની દરકાર કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org