________________
૧૬૨
પ્રેમ-પંક વાહ ભાઈ, આ કહાણી ક્યાંથી લાવ્યા? મારે માદ0 તને શારેત સાથે કશો જ પરિચય નથી.”
કેમ, તમે તેમને મૅડમની તહેનાતમાં ગોઠવી આપ્યાં નથી?”
ના રે ના, એ પોતે એવા સારા ખાનદાનનાં છે કે, તેમને દાખલ થવા માટે કોઈની ભલામણ ન જોઈએ.”
“તો પછી પેલું ગીત સૌ કોઈ ગાય છે તેનો શો અર્થ?” કયું ગીત? મને સંભળાવો જોઉં.” “કે,– “માઁ૦ દ ગીશ છે તહેનાતી
બાનુઓને ફાવ્યા; તે જ કુમારી મેતાલેને
તેમ જ – ને લાવ્યા. –એ છેલ્લી કડીમાંનું નામ મને યાદ રહ્યું નથી.”
“લા વાલિયેરને!” દ ગીશે ઉમેરી આપ્યું; “પણ એ કવિતામાં તૉને શારત નામ કયાં છે?”
“પણ એ કવિતામાં મેતાલેનું નામ છે ને! તમે તેને ઓળખો છો?”
“આડકતરી રીતે; તે બા માલિકૉર્ન નામના યુવકની માનીતી છે; માલિકૉર્ન માનિકનો માનીતો છે અને માનિકોએ મને મૅડમની તહેનાતમાં મૉતાલેનું નામ દાખલ કરાવી આપવા તથા માલિકૉર્નનું નામ મોંશ્યોરના ઘર-કારભારમાં દાખલ કરાવી આપવા જણાવ્યું હતું. અને તમે જાણો છો કે રમૂજી માનિક મારો માનીતો દોસ્ત છે.”
“અને એ માગેલી નોકરીઓ તમે મેળવી જ આપીને?”
મેતાલેની બાબતમાં હા, માલિકૉર્નની બાબતમાં ના અને હા બને; કારણ કે, એ માણસ અલબત્ત અહીં હરફર કરી શકે છે, પરંતુ કોઈ જગા ઉપર તેને હજુ ગોઠવી શકાયો નથી.”
ગીતના છેલ્લા ચરણમાં આવતી લા વાલિયેરનું શું છે?” સંતેગ્નોએ આંખ મિચકારીને પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org