________________
રાતના બે વાગ્યે
૧૬૧
બરાબર એક વાગ્યાના અરસામાં સદ્ભાગ્ય સેગ્નોએ દ ગીશને બગીચામાં એક થડને અઢેલીને ઊભો રહેલો અને કંઈક પ્રેમ-ગીત ગણગણતો દેખ્યો. તેની સામે એક ખુલ્લી બારીમાંથી પ્રકાશ આવતો હતો તેના તરફ તે જોઈ રહ્યો હતો. કહેવાની જરૂર નથી કે એ બારી મૅડમના કમરાની હતી.
સેતેશ્નોએ બીજો કશો વિચાર કર્યા વિના તેને ખભે હાથ મૂકી, કહી દીધું, “વાહ, ઠીક થયું તમે મળી ગયા છે. હું તમને જ શોધતો હતો, કાઉંટ.”
મને?” દ ગીશે ચોંકીને કહ્યું.
“હા, હા, તમે અહીં ઊભા ઊભા પ્રેમ-ગીતો રચી રહ્યા છો, એ જાણી મને વિશેષ આનંદ થયો; કારણ કે, હું પણ પ્રેમમાં પડયો છું, મહેરબાન!”
દ ગીશ તરત તેનો હાથ પકડી તેને બાજુએ દોરી ગયો, જેથી તેની નજર પેલી બારી ઉપર ન પડે.
“તમે મને શા માટે શોધતા હતા, તે કહો; હું મારાથી બનતી મદદ કરવા તૈયાર છું, એમ માનજો.”
“તો મારે એક વ્યક્તિ વિષે જરા માહિતી જોઈએ છે; અને તમને એ વ્યક્તિ સાથે સંબંધ છે, એમ મારા જાણવામાં આવ્યું છે.”
“અને એ વ્યક્તિ સાથે જ તમે પ્રેમમાં પડયા છો, એમ ને?”
હું ‘હા’ પણ નથી કહેતો અને “ના” પણ નથી કહેતો; કારણ કે, કોઈ એવા માણસમાં પ્રેમ કરી બેસીએ, જેની પાસેથી એ પ્રેમ પાછો વળવાની આપણને આશા જ ન હોય, તો પછી નાહક દુ:ખી થવું પડે; તેના કરતાં પહેલેથી જોઈને પગલું ભરવું શું ખોટું?”
“સાચી વાત છે; આપણું હૃદય એ કીમતી વસ્તુ છે, અને તેને સ્વીકારવા તૈયાર ન હોય તેવા માણસ ઉપર તે ન જ ફેંકી શકાય!”
તો મારે માદમઆઝોલ દ તૉને શારૉત વિષે કંઈક પૂછવું છે.” છે.–૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org