________________
હિસાબી કારકુન
૧૫૫ ખાસ કરીને લા વાલિયેર પહેલાં કોઈ પ્રેમપ્રસંગમાં સપડાઈ છે કે નહિ તે જાણી લાવવા! વાઈકાઉંટ દ બ્રાજલૉન તરફથી કાઉંટ દ લા ફેર તેના હાથ માટે માગણી કરી ગયા હતા, એ રાજાજીને યાદ હતું, પણ તે તો સીધી કાયદેસર વાત હતી. તેનાથી રાઓલને લા વાલિયેર ઉપર ગમે તેટલો પ્રેમ હોવાનું સાબિત થતું હોય, પણ લા વાલિયેર પોતે ખરેખર રાઓલ પ્રત્યે ખેંચાઈ છે કે નહિ, તેની કશી કલ્પના તે ઉપરથી શી રીતે આવે?
પણ એટલામાં બહાર પગલાંનો અવાજ સંભળાતાં, કોણ આવ્યું છે તે જાણી લાવવા રાજાએ સેતેશ્નોને બહાર મોકલ્યો. સેતેશ્નો તરત જ પાછો આવ્યો અને બોલ્યો, “મેં૦ કુકે આપના બોલાવ્યાથી આવ્યા છે; પરંતુ અત્યારે મોડું થયેલું છે તેથી અત્યારે જ હાજર થવાનો તેમનો આગ્રહ નથી; તે માત્ર તેમના આવ્યાની જાણ આપ નામદારને કરવા માગે છે.”
“ઓહો, મોં, કુકેને મેં ત્રણ વાગ્યે કાગળ લખીને આવતી કાલે સવારે આવી પહોંચવા જણાવ્યું હતું, પણ તે તો અત્યારે રાતે જ બે વાગતામાં આવી પહોંચ્યા ને કંઈ! તો તેમને જલદી અહીં મોકલી, મેં કહેલી તપાસ કરવા તમે ઊપડી જાઓ, કાઉંટ; અને કાલે સવારે બધી માહિતી લઈ આવીને મને મળો.”
કુકે અંદર આવતાં જ રાજાજીએ તેને ઉતાવળે આવી પહોંચવા બદલ ધન્યવાદ આપ્યા, અને પૂછયું, “મારો સંદેશ કયારે મળ્યો હતો?”
“સાંજના નવ વાગ્યે સરકારનું અને મારી સાથે વનના બિશપ પણ પધાર્યા છે, જેમણે આપની સમક્ષ હાજર થવા દેવા પરવાનગી માગી હતી.”
“હા, હા, તેમણે કોઈ બાબત અંગે મને ધન્યવાદ આપવા માટે આવવા જણાવ્યું હતું.”
ખરી વાત છે, સરકાર, મારી ભલામણથી આપ નામદારે ત્રણ મહિના ઉપર તેમના નિમણૂક-પત્ર ઉપર દસ્તખત કરી આપ્યા હતા. તેમને તરત પાછા ફરવાનું છે, એટલે તે અત્યારે જ આવ્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org