________________
ઍરેમીસનો પત્રવ્યવહાર
૧૫૩
“તો શું, એ બાબતનો હજુ ‘વિચાર ’કરવા માગો છો એમ?” “હા, હા; રાજાજીને વિનંતી કરવા કયારે જવું એનો વિચાર તો કરવો પડે ને !”
“અરે અત્યારે, આજે રાતે જ આપ મળી શકશો,” કોલબેરે આતુરતાથી કહ્યું. આજુબાજુ ઊભેલાઓને તો મોં૦ ફુંકેને ત્યાં કેવા કલ્પનાતીત આનંદ-ઉત્સવમાં ભાગ લેવાનું મળશે, એ વિચારથી જ ગલગલિયાં આવી ગયાં.
ફુંકેએ તરત જ હસતાં હસતાં તે સૌને કહ્યું, “સગૃહસ્થો, આપ સૌને નિમંત્રણો આપવાનું મને ગમે તો ખરું જ; પરંતુ રાજાજી પોતાના રાજ્યમાં જ્યાં પધારે, ત્યાં તે તેમના જ મહેલમાં પધાર્યા ગણાય; એટલે ત્યાં આવવાનાં નિમંત્રણ પણ રાજાજી જ કાઢશે; એટલે આપ સૌને રાજાજી મારફતે જ નિયંત્રણો મળશે.
,,
તરત જ ચારે તરફ આનંદનો ધ્વનિ ફેલાઈ રહ્યો.
“ઘમંડી માણસ,” કોલબેર મનમાં ગણગણ્યો; “તેં મારી આ વાત સ્વીકારી એટલે ઓછામાં ઓછા એકાદ કરોડ ફ઼ાંક તારા ઓછા થયા જ જાણજે!”
66
‘ભાઈ, તમે તો મને પાયમાલ કરી નાંખ્યો,” કુકેએ ધીમે અવાજે ઍરેમીસને કહ્યું.
“ઊલટા, મેં તમને ઉગારી લીધા છે, એમ જાણજો.”
કુકે હવે દાદર ચડી તપાસ કરવા લાગ્યો કે રાજાજી આસપાસ કયાંય દેખાય છે કે નહિ.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org