________________
૧૩૫
મધ્યરાત્રીનું પરિભ્રમણ “રાજાજીને અદેખાઈ? શાની અદેખાઈ વળી?”
લૉરેઈન હવે સમજી ગયો કે, વાત કંઈક પલટાઈ છે. એટલે તેણે ફેરવી તોળ્યું : “પોતાની સત્તાની–પોતાના હુકમની અવગણના થાય એની તો ખરી ને?”
હા, હા, એ વાત તો બરાબર છે.”
“તો શું તમે પોતે તો દ ગીશ માટે ક્ષમાયાચના કરવા નહોતા ગયા ને, નામદાર?”
ના, ના દ ગીશ આમ તો સારો માણસ છે; પણ મૅડમ સાથેનો તેનો કેટલોક વ્યવહાર મને નહોતો ગમતો એટલું જ.”
શવાલિયેરને દ ગીશ તરફ ખૂબ અણગમો હતો; પણ તે જોઈ ગયો કે, વાત કયાંક ખોટકાઈ પડી છે. એટલે તેણે રાહ જોવાનું સલાહભર્યું માન્યું. ઉપરાંત દ વાર્દ આવશે ત્યારે પોતા કરતાં પણ મોંશ્યોરને દ ગીશ સામે સારી રીતે ઉશ્કેરી શકાશે એમ તેને લાગ્યું.
તેણે આખી પરિસ્થિતિના અંકોડા મેળવી જોવા પ્રયત્ન કર્યો. દ ગીશને કાઢી મૂકવામાં આવ્યો હતો, છતાં તે પાછો આવ્યો હતો. અને તે પણ જ્યારે મેડમને હવે તેના તરફ કશી લાગણી રહી ન હતી ત્યારે! બીજી બાજ, મૅડમ હવે રાજાજી તરફ વળવા લાગી છે, પણ હાલમાં જ સાંભળ્યું છે તે પ્રમાણે રાજા હવે મૅડમ સિવાયની કોઈ ત્રીજી તરફ જ વળ્યો છે, ત્યારે! અર્થાત્ આ બધું કોકડું ઊકલી રહે ત્યાં સુધી શાંત રહેવામાં જ ડહાપણ છે.
શ્યોરનો દાંત દુ:ખતો હોવાથી તે હવે રાતના વધુ બહાર નહીં નીકળે, એવો તેમનો સંદેશો મેડમને પહોંચાડી, લૉરેઈન બગીચાઓ તરફ નીકળવા જતો હતો, તેવામાં તેણે બે જણને વાતો કરતા જતા જોયા. તે બે દ ગીશ અને દ બ્રાજલૉન હતા. તેમને અણગમાનું વંદન કરી, તે દરબારગઢ તરફ ચાલ્યો. ત્યાં આંગણામાં તેણે બે સ્ત્રીઓને ગુપચુપ ચાલી જતી જોઈ. તેમાંની એકની ટટ્ટાર રુઆબદાર ચાલ જોઈ તે ચોંક્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org