________________
૧૯
મધ્યરાત્રીનું પરિભ્રમણ
શવાલિયેર દ લૉરેઈન પોતાની ઝેર ઓકતી જીભ અને ઝેર ભરેલું હૃદય લઈ, મોંશ્યોર પાસે આવી પહોંચ્યો.
“માંશ્યોર એક વિચિત્ર બાબત તમારા લક્ષમાં આવી?”
કઈ?”
“રાજાજીએ દ ગીશને ભૂંડો આવકાર આપવાનો માત્ર દેખાવ જ કર્યો છે!”
“માત્ર દેખાવ જ ?” “હા, હા; ખરી રીતે તો તેને તેમણે પોતાનો કૃપાપાત્ર બનાવી દીધો
કેવી રીતે?”
“તેને દેશનિકાલ કર્યો હતો એટલે તે પાછો આવ્યો ત્યારે તેને ફરી કાઢી મૂકવાને બદલે, તેમણે તેને નૃત્યમાં પાછો ભાગ લેવા દીધો.”
“રાજાજીએ એમાં શું ખોટું કર્યું? તે બિચારો થોડો અણઘડ હશે કે બહુ બહુ તો કઢંગો; પણ તે સિવાય તેનો બીજે કશો વાંક ક્યાં હતો, જેને કારણે તેને દરબારમાંથી દેશનિકાલ કરવા જેવી કપરી સજા કરવી ઘટે?”
વાહ, આ તો બધે જ ઉદારતાની પરાકાષ્ઠાનું વાતાવરણ લાગે છે ને! અને તમારા કરતાં તો રાજાજીને તેની વધારે અદેખાઈ હોવી જોઈતી હતી!”
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org