________________
રાજાજીનું રહસ્ય
૧૩૧ હતી કે, મેં તેમ્ન એ વાત બહાર કહેવા જ માંડશે. પણ અત્યારે તો તેમને ડર જ હતો કે, મેં તેને આ બધી વાત બહાર ફેલાવી તો નહીં દે!
અને અર્ધા કલાક બાદ જ તેબ્લો મુકામે સૌ કોઈ જાણી ગયું કે, રાજાજી માદમઆઝોલ દ લા વાલિયેરની તબિયત બાબત ચિતા બતાવતાં છેક ફીકા પડી ગયા હતા, અને બેભાન બનેલી તેના શરીરને હાથમાં પકડતાં જ ઘૂજી ઊઠયા હતા. અર્થાત્ આખા યુગની એક મહાન ઘટના બની ચૂકી હતી : રાજાજી માદમુઆઝોલ દ લા વાલિયેરના પ્રેમમાં પડ્યા હતા. હવે મેંશ્યોર નિરાંતની ઊંઘે ઊંઘી શકશે !
રાણીમાતા, પરિસ્થિતિમાં આવેલા આ અચાનક ફેરબદલાની ખુશખબર જુવાન રાણી મારિયા થેરેસાને અને ફિલિપને સંભળાવવા દોડી ગયાં.
પરંતુ, તેમણે એ ખબર કહેવા માટે જુદો જ રસ્તો લીધો. તેમણે રાણીને કહ્યું, “જુઓ થેરેસા, તમે ખોટાં જ રાજાજી ઉપર વહેમાતાં હતાં ને? આજે હવે લોકો કહેવા લાગ્યા છે કે તેમને બીજી કોઈ ઉપર પ્રેમ છે! એટલે કાલની વાત જેમ જૂઠી હતી, તેમ આજની પણ એવી જ ગણવી જોઈએ.”
ફિલિપને તેમણે ‘રોયલ ઓક’વાળો આખો બનાવ કહી બતાવ્યો અને કહ્યું, “તું તારી પત્ની બાબત જે અદેખાઈઓ કરે છે, તે કેવું ખોટું છે? રાજાજી તો નાનકડી લા વાલિયેરના પ્રેમમાં પડયા હોવાનું કહેવાય છે. તું તારી પત્નીને એ બાબત વિશે વાત કરીશ નહિ. રાણીને કાને તો એ વાત પહોંચવી જ ન જોઈએ.”
આ છેલ્લા વાક્યની ધારી અસર તરત થઈ; કારણ, મશ્યોર તરત સ્વસ્થ થઈ, વિજેતાની પેઠે, પોતાની પત્નીને શોધવા દોડી ગયા. કારણ, હજુ મધરાત થવાની વાર હતી, અને ઉત્સવ સવારના બે વાગ્યા સુધી ચાલ્યા કરવાનો હતો. મૅડમને શોધી કાઢી તેમણે સીધું જ સંભળાવી દીધું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org