________________
પ્રેમ-પાંક
<<
‘કોઈને કશી વાત ન કરશો અને રાણીજીને તો જરા પણ નહિ; પણ રાજાજી વિષે શી વાત ચાલે છે તે જાણી? રાજાજી લા વાલિયેરના પ્રેમમાં ગળાબૂડ ડૂબી ગયા છે!”
૧૩૨
અંધારું હતું એટલે મૅડમે બાજુએ જોઈને નિરાંતે હસી લીધું, તેને પોતાની અને રાજાની યોજનાનાં ધાર્યાં ફળ આવ્યાં હોવાનો પુરાવો મળી ગયો!
પણ જ્યારે મશ્કરે મૅડમને વાતાવાતમાં ‘રૉયલ-ઓક ’વાળો આખો બનાવ કહી બતાવ્યો, ત્યારે મૅડમ ચિંતામાં પડી ગઈ. કારણ કે, લા વાલિયેર જો રાજાજી પ્રત્યેનો પોતાનો પ્રેમ સખીઓ આગળ બોલી ગઈ હોય, અને રાજાજીએ એ બધું છુપાઈને સાંભળ્યું હોય, તો પરિસ્થિતિ પોતે ધારેલે માર્ગે વળી ન કહેવાય. ઉપરાંત રાજાજી હમણાં જ તેને થોડા વખત પહેલાં મળી ગયા ત્યારે તેમણે ‘રૉયલ-ઓક’ વાળા પ્રસંગનો ઉલ્લેખ પણ નહોતો કર્યા !
.
એટલે પતિથી છૂટી પડતાં મૅડમે તરત રાજાની શોધ શરૂ કરી. રાજા મળતાં જ તેણે અજાણી થઈ પૂછયું, ‘પછી પેલી લા વાલિયેરનું શું થયું?”
“તે અચાનક બહુ નબળી પડી ગઈ છે.”
“પણ તો પછી, આપણે જે અફવા ફેલાવવી હતી કે, તમે તેના પ્રેમમાં પડયા છો, તેનું શું થશે?”
“તો પણ એ અફવા તો ફેલાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે,” રાજાઓં બેફિકરાઈથી જવાબ આપ્યો. તેને ખબર ન હતી કે, ‘રૉયલઓક’ વાળી વાત જાણીને, રાજા તે વાતનો ઉલ્લેખ કરે છે કે નહિ એ જાણવા જ, મૅડમ આ બધું પૂછે છે. પણ પુરુષમાં સ્ત્રીનું અંતર પામી જવા
જેટલી અક્કલ કયાં હોય છે? અને તેય પ્રેમના કાદવમાં ગરક થયેલા
પુરુષમાં !
આટલી વાત કરી, રાજા મૅડમથી તરત છૂટો પડી ગયો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org