________________
૧૩૦
પ્રેમ-પંક મતાલે અને તોને શારત પાસે જ હતાં, પણ રાજાજી પોતે બધી વાતો સાંભળી ગયા છે એ જાણી ડરનાં માર્યા સડક થઈ દુર જ ઊભાં રહ્યાં. રાજાએ જ એક ઢીંચણ જમીન ઉપર ટેકવી, લા વાલિયરને કેડેથી પોતાના હાથમાં તોળી રાખી.
આપ સરકાર સાંભળતા હતા?” તૉને શારૉત પણ બોલી ઊઠી. પણ રાજાએ તેને કશો જવાબ આપવા પ્રયત્ન ન કર્યો. તે માત્ર લુઈઝાની બંધ આંખો સામે જ જોઈ રહ્યો અને તેનો સરી પડતો હાથ તેણે પોતાના બીજા હાથમાં પકડી લીધો.
હા, હા,” એમ કહેતો સંતે પણ માદમુઆઝોલ દ તને શારૉત પણ બેભાન થઈ ગબડી પડે તો તેને પોતાના હાથમાં પકડી લેવા, હાથ લાંબા કરી પાસે ધસી ગયો. પણ તૉને શારત એમ બેભાન થઈ જાય તેવી મૂર્તિ ન હતી. તે તો મેં તેને ઉપર એક ભયંકર નજર નાંખી, ઝટ બહાર ભાગી.
મતાલે જરા વધુ હિંમત ધારણ કરી, લુઇઝા તરફ જલદી આગળ ધસી આવી, અને તેને રાજાજીના હાથમાંથી તેણે લઈ લીધી. રાજા પોતે જ હવે ધારણ ગુમાવી રહ્યો હતો, કારણ કે લુઇઝાના સુગંધીદાર વાળના ગુચ્છા તેના મોં ઉપર ફેલાઈ રહી, તેના માથામાં જાણે ભડાકા ફોડવા લાગ્યા હતા. છતાં લુઇઝાને હાથમાંથી છોડતાં જાણે રાજાજી પોતાના પ્રાણ અળગા કરતા હોય એવું મૌતાલને લાગ્યા વિના ન રહ્યું.
સેંતેઝે પણ એ જોઈ તરત જ મનમાં ગણગણ્યો, “વાહ, આ તો ભારે પરાક્રમ છે; એ પરાક્રમ બીજાને પ્રથમ કહેવાનું બહુમાન હું જતું કરું, તો મારા જેવો મૂરખ કોઈ ન કહેવાય !”
રાજાજીએ, તેનો વિચાર જાણી ગયા હોય એમ તરત તેને કહ્યું, “જોજે આ વાત કોઈને કરવાની નથી.”
પણ રાજાજી ભૂલી ગયા કે, કલાકેક પહેલાં તેમણે એવી જ સૂચના તેને કરી હતી; અલબત્ત તે વખતે તે સૂચના કરવા છતાં મનમાં આશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org