________________
રાજાજીનું રહસ્ય
૧૨૭ “તો પછી, તેની બે સખીઓ કોણ હતી તે તેં પૂછી ન લીધું?”
“સરકાર, આપ મને બાસ્તિલમાં મોકલી આપવાના છો કે નહિ, તે પ્રથમ કહી દો.”
કેમ?”
“કારણ કે, હું સ્વાર્થી તેમ જ મૂરખ નીવડ્યો છું. મારા વખાણ કરનારી મને મળી ગઈ એ આનંદમાં બાકીની બે વિષેની માહિતી મેળવવાનું જ હું ભૂલી ગયો. મને મનમાં એમ પણ હતું કે, આપનું મન તો માદમઆઝોલ દ લા વાલિયેર તરફ જ આકર્ષાયું છે, એટલે ઓકવૃક્ષ નીચેની આપની ભકતનું નામ જાણવાની આપને એટલી બધી ઉત્સુકતા નહીં જ હોય. અને તૉને શારત માદમુઆઝોલ દ લા વાલિયેરની ખબર કાઢવા જવાની ઉતાવળમાં હોય એમ લાગતું હતું, એટલે મને વધુ પૂછપરછ કરવાની તક પણ ન હતી.”
ઠીક, ઠીક, હું પણ તારી પેઠે ખુશનસીબીથી અવાજ ઉપરથી કોઈક વખત મારા વખાણ કરનારીને શોધી કાઢીશ.”
સરકાર, આપ તો કોઈને છોડવા માગતા નથી! માદમઆઝોલ દ લા વાલિયેર તો છે જ, અને આ પાછી “રૉયલ-ઓકવાળી ઉપર પણ આપનું મન ચોંટયું હોય એમ લાગે છે. અને ત્રણમાંથી એક જણી જો ઓળખાઈ ગઈ છે, તો તેની પાસેથી બીજી બેનાં નામ મેળવવાનું હવે મુશ્કેલ
નથી.”
ઠીક, ઠીક, પરંતુ હું તારી પેઠે તેના અવાજ ઉપરથી જ તેને શોધી કાઢવા પ્રયત્ન કરીશ. પણ હમણાં તો આપણને લા વાલિયેરની જ તબિયતની ફિકર છે; એટલે પ્રથમ ત્યાં જ જઈએ.”
જે કમરામાં લા વાલિયેરને સુવાડવામાં આવી હતી ત્યાં સેંતેશ્નો રાજાજીને લઈ ગયો. તે હવે બગીચાને ઠંડા પવનથી ભાનમાં આવી ગઈ હતી, પણ તેનાં કપડાંનું ઠેકાણું ન હતું, અને તે ગંભીર ચિંતામાં પડી ગઈ હોવાથી, તેનો ખ્યાલ પણ તે તરફ રહ્યો ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org