________________
૧૮
રાજાજીનું રહસ્ય રસ્તામાં જ રાજાજીને સેંતેગ્નો સામો આવતો મળ્યો. “દરદી કેમ છે?” રાજાજીએ ફિકર-ચિંતાનો ઢોંગ કરીને પૂછયું.
સરકાર, મારે શરમિંદા થઈ કબૂલ કરવું જોઈએ કે, મને કશી જ ખબર નથી.”
શું કશી જ ખબર નથી? એ કેવું?” રાજાજી જાણે પોતાના પ્રેમપાત્રની કશી જ ખબર ન રાખી તે માટે ગુસ્સો થયાનો ઢોંગ કરીને બોલ્યા.
“સરકાર, ક્ષમા કરજો; પરંતુ, અચાનક મને પેલી ઓકવૃક્ષ નીચે વાતો કરનારી ત્રણમાંથી મારાં વખાણ કરનારી ભેગી થઈ ગઈ, એટલે હું રોકાઈ ગયો; અને હવે હું આપનાં વખાણ કરનારીની ભાળ મેળવવા નીકળતો જ હતો, ને આપ સામે મળ્યા.”
ઠીક, ઠીક, પણ માદમુઅઝોલ દ લા વાલિયેર પહેલી, એ ખબર છે ને?” પોતે ધારણ કરેલો ઢોંગ આગળ ચલાવતાં રાજાજીએ કહ્યું; “પણ તારાં વખાણ કરનારીનું નામ શું છે તે તો કહે!”
“તોને શારેત.” “તે સુંદર છે ખરી?”
“ઘણી જ સુંદર છે, સરકાર અને તેનો અવાજ મેં પારખી કાઢો એટલે પછી તેને ખબર ન પડે તે રીતે તેને જ પૂછપરછ કરીને મેં ખાતરી કરી લીધી કે, તે પોતાની બે સખીઓ સાથે થોડા વખત ઉપર ઓક-વૃક્ષ નીચે વાતો કરતી બેઠી હતી, તેવામાં વરુ કે કોઈ લૂંટારુ આવ્યો છે એમ માની, તેઓ ગભરાઈને ત્યાંથી નાસી છૂટી હતી.”
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org