________________
રાજાજીની મૂંઝવણ
૧૨૫ “તમારી તહેનાત-બાનુઓમાંની એક માદમુઝોલ દ લા વાલિયેર જંગલમાં બેભાન થઈ ગઈ છે.”
“વાહ સરકાર, એના તરફ પ્રેમભાવ દેખાડવાનું શરૂ કરવાની આવી તક જતી કરીને તમે અહીં દોડી આવ્યા? તમારે તો તે છોકરીને હાથમાંથી છોડવી જોઈતી નહોતી. તો આપોઆપ, તેના ઉપર તમને પ્રેમ ઊભો થયો છે, એવી વાત જાહેર થઈ જાત.”
સાચી વાત! જો કે, મેં સેંતેશ્નોને કહીને મારું મન લા વાલિયેર ઉપર મોહ્યું છે, એવી ખબર ચોતરફ ફેલાવવાની પેરવી તો કરી જ દીધી છે.”
પણ સરકાર, તમારી એ પ્રેમપાત્રને મરતી મૂકી તમે અહીં દોડી આવ્યા, તે ઉપરથી સેતેશ્નો જ શું ધારશે? એ કંઈ તમે તેના તરફ પ્રેમભાવ દાખવ્યો ન કહેવાય!”
ખરી વાત, ખરી વાત; તમે યોજનાના બધા છેડાઓ કેવા સંભાળી જાણો છો? ઠીક, તો હું ત્યાં જ જાઉં છું અને પેલી બેભાન બનેલી પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ દાખવવા મંડી જાઉં છું!” એમ કહી રાજાજીએ મૅડમનો હાથ જોરથી દબાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org