________________
રાજાજીની મૂંઝવણ
૧૨૩ “સરકાર, ક્ષમા કરજો, પણ આખી પૃથ્વીના તળ ઉપર એવી સ્ત્રી હોવાનું જાણમાં આવવું કે, જે આપણે જાણતા પણ ન હોઈએ, ને આપણે તે માટે લાયક પણ ન હોઈએ, છતાં આપણું નામ ગોખતી હોય, એ ઓછા આનંદની વાત ન કહેવાય. જોકે, આપ નામદારને તો વગર માગી એવી પ્રશંસા હરહંમેશ મળતી રહેતી હોવાથી, આપને એ વાતની કશી નવાઈ ન લાગે, એ સ્વાભાવિક છે.” . “ના, ના, સેતેશ્નો; મને પણ વગર માગ્યે આવી પોતાના અંતરની ભક્તિ અર્પનારી કોઈ સ્ત્રી છે એ જાણી આનંદ જ થયો છે. અને મારું મન, મેં તને કહ્યું હતું તેમ, લા વાલિયેર તરફ બંધાઈ ગયું ન હોત, તો હું જરૂર આ મારી પ્રશંસકને—”
લા વાલિયેરની બાબતમાં એવી કશી ચિંતા કરવાની જરૂર નથી, સરકાર.”
“તેનું નામ દઈ તે ફરી મને તેની યાદ અપાવી; હવે જલદી ચાલ, આપણે તેને શોધવા નીકળ્યા હતા એ મૂળ કામે જ પાછા આગળ ચાલીએ.”
પણ એટલામાં કોઈ સ્ત્રીનાં ડૂસકાનો અને “દોડો', “દોડો” એવા મદદ માટેના પોકારનો અવાજ સાંભળતાં બંને જણ તે તરફ દોડ્યા.
થોડે દૂર જતાં રસ્તા વચ્ચે જ એક બાઈ, બીજીને હાથમાં ઝીલી, ઘૂંટણિયે પડેલી દેખાઈ અને ત્રીજી થોડે દૂર ઊભી ઊભી મદદ માટે પોકારો કરતી હતી.
રાજાએ પાસે જઈને પૂછયું: “શી વાત છે?”
“કોણ, રાજાજી?” એમ કહેતાં કહેતાંમાં તો મતાલેએ પોતાના હાથમાં પકડેલી લા વાલિયેરને છોડી દીધી એટલે તેનું માથું ધબ દઈને જમીન ઉપર પછડાયું.
રાજાએ જરા કડક થઈને પૂછયું, “હા, હા, રાજાજી છે, પરંતુ તેથી તમારા હાથમાં પકડેલી બાઈને આમ જમીન ઉપર કેમ પટકી દીધી? તે કોણ છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org