________________
૧૧૬
પ્રેમ-પાંક - “અરે બહેન, મજાકભર્યું બોલવા જવામાં તું તને સાચા પ્રેમથી ચાહનાર માલિકોને અન્યાય શા માટે કરે છે?”
“અરે હું તેને સમૂળગો ધકેલી નથી કાઢતી, એટલા માત્રે જ તેણે સુખી રહેવું જોઈએ. કોઈના પ્રત્યે હું કુમળો ભાવ બતાવું, એ મારે માટે કમનસીબીની વાત છે; પરંતુ તેથી કરીને એ લોકોને હું સજા કરવા જાઉં, તો તે લોકોનું કમનસીબ તેથી પણ મોટું બની જાય!”
તૉને શારત હવે વચ્ચે પડી : “તારી વાત સાચી છે, મતાલે; સ્ત્રીમાં અભિમાન અને ચંચળતા બંને સાથે રહેલાં હોય છે; હવે બબૂચકો અભિમાનને ચંચળતા સાથે ગૂંચવી મારે, તેમાં મારે શું? હું તો મારા પ્રશંસકો પ્રત્યે અભિમાનથી જ વર્તુ છું; તથા તેઓમાંના કોઈને હું મચક આપું છું, એવો દેખાવ પણ થવા દેતી નથી. પરિણામે તે લોકો મને ચપલા કહે છે, તો તેમનાં શીંગડાં તેમને ભારે! તેમની દરેકની ખુશામતને મારે સ્વીકારી જ લેવી એ ક્યાંનો ન્યાય? સ્ત્રીઓ બાપડીઓ ખુશામતથી જ નમી પડે છે; અને પરિણામે પુરુષોની ચંચળતાનો ભોગ બને છે. હું પુરુષોને તેમના સિક્કામાં જ બધો હિસાબ ચૂકતે કરવામાં માનું છું.”
“કેવો સરસ સિદ્ધાંત!” મતાલે હસીને તાળી પાડતી બોલી. “કેવો તુચ્છ?” લુઇઝા ગણગણી.
“સ્ત્રીઓને ચપલા કહીને લોકો નિદે છે; પરંતુ ચપલતા એ તો સ્ત્રીનું સાચું ગૌરવ છે. પુરુષ તો વિજેતાના ઘમંડમાં હંમેશાં સ્ત્રીને દીનયાચક ગણીને જ વર્તવા આવે છે; પરંતુ સાચી ચપલા તેને ખરી ઘડીએ હાથતાળી આપીને સરકી ગઈ હોય છે. પરિણામે પુરુષ ઘમંડમાં ઊંચી કરેલી પોતાની પૂંછડી નીચી નમાવી ખુશામત કરવા લાગી જાય છે. એટલે સાચી સ્ત્રી હંમેશાં પુરુષને આકર્ષે છે, અને છતાં તેને હાથતાળી જ આપ્યા કરે છે. સ્ત્રીએ પુરુષની પત્ની બની જઈ, તેની ગુલામી કરવા કરતાં, ગર્વિષ્ઠ પ્રેમિકા રહી, ભક્તોનું અર્થ ક્ષમાભાવે સ્વીકારતા રહેવું જોઈએ. સ્ત્રીને પરમાત્માએ એકીસાથે સૌંદર્ય અને ચપળતા એટલા માટે જ બક્યાં છે, સમજી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org